________________
તિવિહેણ 'દાસિ
મહારાજ પાસે દર વર્ષે અચૂક વંદન કરવા જતા. મારે અભયસાગરજી મહારાજને મળવુડ હતું. તેમનું ચામાસું ત્યારે લુણાવાડામાં હતું. કેસરીચંદભાઈ મને લુણાવાડા લઈ ગયા. ત્યાં અભયસાગરજી મહારાજને પ્રથમ વાર મળવાનું થયું હતું. ત્યારે મારા રસના વિષય મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યના હતા અને એ વિષયમાં અભયસાગરજી મહારાજે પણ ઠીક ઠીક કામ કર્યુ· હતું. એથી એમની સાથે તરત આત્મીયતા ખંધાઈ હતી. લુણાવાડાથી અમે રાજગઢ ગયા. ત્યાં ધર્મોસાગરજી મહારાજનું ચૈામાસુ' હતું. ધર્મસાગરજી મહારાજને પણ હું ત્યારે પહેલી વાર મળ્યા. તેએ ઉગ્ર તપસ્વી અને ઉવિહારી હતા. ચાર-છ દિવસના ઉપવાસ પછી દસ માઈલના વિહાર કરવા હાય તા તેટલું ચાલવાની સ્મૃતિ ધસાગરજી મહારાજમાં હતી. ગૃહસ્થપણામાં ધર્મસાગરજીના પુત્ર તે જ અભયસાગરજી. લગભગ છ વર્ષની વયે એમણે પિતા ધર્મોસાગરજી પાસે દીક્ષા લીધી. પિતા-પુત્ર તે ગુરુ-શિષ્ય બન્યા. માળવાના લેાકા ઉપર તેઓ બંનેનું, વિશેષતઃ પૂ. ધર્મસાગજીનું પ્રભુત્વ ઘણું મોટું રહ્યું હતું.
૧૦૦
અભયસાગરજી મહારાજને ત્યારપછી પાલિતાણામાં આગમ મંદિરમાં કેટલીય વાર મળવાનું થયું હતું. આખા દિવસ તેમના સ્વાધ્યાય ચાલતા જ હાય. સ્ત્રીવર્ગ, વ્યાખ્યાનના સમય સિવાય પેાતાની પાસે ન આવે એ માટે તેઓ બહુ ચુસ્ત આગ્રહ રાખતા. તેઓ બાળબ્રહ્મચારી હતા અને બ્રહ્મચર્યનું અખડ પાલન કરતા. ઉપાશ્રયમાં તેઓ ઘણી વાર કોઈ એક ખૂણામાં એવી રીતે બેસતા કે બહારથી અજાણતાં કોઈ શ્રાવિકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org