SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક સમયમાં આરોગ્ય વિશે અનેક દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો. આહાર, નિદ્રા, જીવનશૈલી વગેરેના આધારે માનવી સ્વસ્થ કેવી રીતે રહી શકે તે વિશે ગંભીરતાપૂર્વક વિમર્શ થયો છે. પરંતુ આરોગ્યનું જે મુખ્ય તત્ત્વ છે – શ્વાસ, તેની ઉપેક્ષા કરી દેવામાં આવી છે. શ્વાસ જો અસંતુલિત હોય તો આરોગ્ય ક્યારેય સંતુલિત હોઈ શકતું નથી. શ્વાસ આપણા શરીરમાં રંગોનું સંતુલન પેદા કરે છે. રંગ આરોગ્યના ઘટકો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તથા નાડીતંત્રનો સંબંધ શ્વાસ સાથે છે. જ્યારે રંગોનું સંતુલન થાય છે ત્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત બને છે. રંગોનું સંતુલન નાડીતંત્રને પણ સ્વસ્થ રાખે છે. ઓક્સિજન અને લોહીની સૌથી વધુ આવશ્યકતા મસ્તિષ્કને રહે છે. તેને વીસ ટકા લોહી અને ઓક્સિજન જોઈએ છે. તેનો વાહક શ્વાસ છે. શ્વાસ જ સમગ્ર શરીરમાં ઓક્સિજન અને લોહીનું વિતરણ કરે છે. કાયોત્સર્ગ અને શ્વાસ શ્વાસ વિષયક અને પ્રયોગો છે - લયબદ્ધ શ્વાસ, દીર્ઘ શ્વાસ વગેરે. દીર્ધ શ્વાસ એટલે લાંબો શ્વાસ. કાયોત્સર્ગની પ્રક્રિયામાં ઠેરઠેર જણાવવામાં આવ્યું છે કે શ્વાસ મંદ કરો, નિઃશ્વાસ પણ મંદ કરો. શ્વાસની ગતિ નાની ન રાખો, લાંબી રાખો. દીર્ઘ શ્વાસ અને મંદ શ્વાસ બંને એક જ છે. શ્વાસ મંદ ન હોય તો કાયોત્સર્ગ સાધી શકાતો નથી. કાયોત્સર્ગમાં શ્વાસ મંદ હોય છે અને મંદ શ્વાસમાં જ કાયોત્સર્ગ થાય છે. ઝડપી શ્વાસમાં કાયોત્સર્ગ સફળ થતો નથી, શિથિલતા આવતી નથી. કાયોત્સર્ગનું પેરામીટર શ્વાસ છે. શ્વાસ સમ્યક્ હશે તો કાયોત્સર્ગ સમ્યક બનશે. જો શ્વાસ સમ્યફ નહિ હોય તો કાયોત્સર્ગ સમ્યક નહિ બને. ' ઓક્સિજનની પૂર્તિનું સાધન શ્વાસ છે અને તે શ્વાસ કે જે | દીર્ઘ હોય, મંદ હોય, લાંબો હોય. મસ્તિષ્ક અને શરીરને વિશ્રામ આપવાનું સાધન શ્વાસ છે. જે કાર્ય શામક ઔષધિઓ કરી શકતી નથી તે કાર્ય શ્વાસ કરી દે છે. શ્વાસની ગતિ બરાબર નહિ હોય તો કદાચ ઔષધિઓ વધતી જશે અને તેમની કાર્યશક્તિ ઘટતી જશે. મહાવીરનું આયalખ્ય * ૩૩ ", " રાજા - કિમ . . K L . . . . " . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy