SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નાક અને શ્વાસ .. શ્વાસ વિશે વિચાર કરતી વખતે આપણે નાક વિશે પણ વિચાર કરવો પડશે. નાક અને શ્વાસનો સંબંધ ગાઢ છે. શરીરશાસ્ત્રના મત મુજબ મસ્તિષ્કનો એક ભાગ ધ્રાણમસ્તિષ્ક છે. તેનો સંબંધ બાહ્ય જ્ઞાન સાથે છે. આ મસ્તિષ્ક પશુઓમાં જેટલું વિકસિત હોય છે તેટલું માણસોમાં નથી હોતું. તેમાં ઊણપ આવી છે. આમ છતાં આ દ્માણમસ્તિષ્ક ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભય, ક્રોધ, આક્રમક મનોવૃત્તિ - આ તમામનાં કેન્દ્રો બ્રાણમસ્તિષ્કમાં છે. નાકને સમજવું એટલે શરીરનાં અનેક રહસ્યો સમજવાં એવો અર્થ છે. ભગવાન મહાવીર નાસા ઉપર ધ્યાન કરતા હતા. નાસાગ્ર ધ્યાનનું તાત્પર્ય ખૂબ ઊડું છે. એનો અર્થ એ છે કે નાસાગ્ર ઉપર ધ્યાન કરનાર વ્યક્તિ પોતાના ધ્રાણમસ્તિષ્ક ઉપર નિયંત્રણ મેળવી લે છે, તેનું શુદ્ધીકરણ કરી લે છે. જે વ્યક્તિ અભયની સાધના કરવા ઇચ્છે, ક્રોધને ઘટાડવા ઇચ્છે, આક્રમક મનોવૃત્તિ છોડવા ઇચ્છે, કામવૃત્તિ ઉપર નિયંત્રણ કરવા ઈચ્છે તેને માટે નાસાગ્ર ઉપર ધ્યાન કરવાનું ! અનિવાર્ય છે. આ રીતે નાકનો કોઈ સીધો ઉપયોગ દેખાતો નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ નાક અને ધ્રાણમસ્તિષ્કનું ખૂબ મહત્ત્વ છે. નાક અને શ્વાસ વચ્ચે સંબંધ છે. શ્વાસ સંતુલિત હોય ત્યારે દ્માણમસ્તિષ્કનું શુદ્ધીકરણ થાય છે. શ્વાસ અસ્તવ્યસ્ત બને છે ત્યારે ધ્રાણમસ્તિષ્ક ઉત્તેજિત થઈ ઊઠે છે. તેનો આપણે સૌ પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. ક્રોધ આવતાં જ શ્વાસની સંખ્યા વધી જાય છે. અહંકાર અને માયાનો ભાવ જાગતાં જ શ્વાસની સંખ્યા વધી જાય છે. ભાવોના તારતમ્યની સાથે શ્વાસનું તારતમ્ય થાય છે. ભાવ ઉત્તેજનાપૂર્ણ હશે તો શ્વાસ ઉદ્વિગ્ન થઈ જશે. ભાવ શાંત હશે તો શ્વાસ શાંત રહેશે. ભાવ અને શ્વાસનો સ્પષ્ટ સંબંધ જોવા મળે છે. ભાવ, શ્વાસ અને આરોગ્ય ત્રણેયનો ઊંડો સંબંધ છે. તેમનું યુગપતું અધ્યયન કર્યા વગર આરોગ્યની સમસ્યાને ઉકેલી શકાતી નથી, શુદ્ધ ભાવ દ્વારા શુદ્ધ . શ્વાસના મુદ્દગલોનું ગ્રહણ થાય છે અને તે આરોગ્યનું ઘટક તત્ત્વ છે. તો અશુદ્ધ ભાવ દ્વારા અશુદ્ધ શ્વાસના પુદ્ગલોનું ગ્રહણ થાય છે અને જ તેનાથી રોગનો પ્રાદુર્ભાવ થાય છે. le છે. મક, * * * * જ એ પી જે કે આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy