SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આવશે તેવું સ્નાયુતંત્ર કરતું રહેશે. સાધનાનું પ્રયોજન જ એ છે કે જે કરાવેલો અભ્યાસ હિતકર ન હોય તેને બદલીને અન્ય હિતકર અભ્યાસ કરાવવામાં આવે. જે અભ્યાસ આરોગ્ય માટે અડચણરૂપ હોય તેનાથી મુક્ત થઈને આરોગ્ય-પ્રદાયક અભ્યાસ કરાવવામાં આવે. અનુપ્રેક્ષા અને ભાવના દ્વારા એમ થઈ શકે છે. એક વ્યક્તિ પત્નીના વિયોગથી અત્યંત દુઃખી હતી. વિયોગમાં દુઃખનું સંવેદન કરવું એ તેનો સંસ્કાર હતો. તેને અનુપ્રેક્ષાનો પ્રયોગ કરાવવામાં આવ્યો. તેનામાં એ ભાવના પુષ્ટ થઈ ગઈ કે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ અવશ્ય હોય છે. સંયોગમાં સુખી અને વિયોગમાં દુઃખી થવું એ તો સંસ્કાર માત્ર છે. યથાર્થ એ છે કે સંયોગ અને વિયોગ બંનેમાં પૂર્ણ સમભાવ રાખવો. દુઃખી વ્યક્તિએ ભાવનાનો આ મર્મ પકડ્યો અને તેના દુઃખનું સંવેદન ઓછું થઈ ગયું. તે પ્રસન્ન રહેવા લાગ્યો. ક્રોધ આવતો હોય તો ક્ષમાની ભાવનાનો અભ્યાસ કરો. અહંકાર હોય તો નમ્રતાની ભાવનાનો અભ્યાસ કરો, લોભની માત્રા વધી ગઈ હોય તો સંતોષની ભાવના વિકસાવો. વિરોધી ભાવના દ્વારા સફળતા મળી શકે છે. વિરોધી ભાવના આરોગ્યની ચાવી છે. એક બીમાર વ્યક્તિ જો દરરોજ એમ કહે કે હું બીમાર છું, હું બીમાર છું તો તે હંમેશાં બીમાર જ રહેશે, દુઃખનું સંવેદન જ કરશે. જ્ઞાનીઓ કહે છે કે આપણી ભીતરમાં આરોગ્ય વિશેષ છે. તમે તેનું ચિંતન કરો. પોતાનો સ્વર બદલો. હું રોગી નથી, હું સ્વસ્થ છું, હું સ્વસ્થ છું. એવા વિરોધી સ્વરો દ્વારા આશ્ચર્ય પેદા થશે. વિરોધી ભાવનાનું સૂત્ર મસ્તિષ્કીય નિયંત્રણનું સૂત્ર છે. એ જ રીતે શ્વાસ પણ નિયંત્રણનું એક સૂત્ર છે. જ્યારે ડાબું નાક સક્રિય હોય છે ત્યારે જમણા મસ્તિષ્ક ઉપર નિયંત્રણ થાય છે અને જમણું નાક સક્રિય હોય છે ત્યારે ડાબા મસ્તિષ્ક ઉપર નિયંત્રણ થાય છે. મસ્તિષ્કનો ડાબો પટલ શરીરના જમણા ભાગનું સંચાલન કરે છે અને જમણો પટલ શરીરના ડાબા ભાગનું સંચાલન કરે છે. જો શ્વાસની પ્રણાલી સમ્યક બની જાય તો નિયંત્રણનો ક્રમ પણ સમ્યક કી બની જાય છે. " આ રીતે મસ્તિષ્કનું નિયંત્રણ આપણા આરોગ્યનો મહત્ત્વપૂર્ણ - આધાર બને છે. - આ કેસ દારા S જળ છે કે હાલમાં છે. જે યણા * ૩૧ કિ . *": ફા For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy