SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ થવાની તક મળતી નથી. તમામ ભાવનાત્મક બીમારીઓનું એ જ નિમિત્ત બને છે. મોહનીય કર્મ પોતાનાં બંને કાર્યો મિથ્યા દૃષ્ટિકોણ અને મિથ્યા ચારિત્ર્યને પૂરાં કરીને વેદનીયના વિપાકમાં સહયોગી બને છે. અસાત વેદનીયનો વિપાક થાય છે ત્યારે તે મિથ્યા દૃષ્ટિકોણ અને મિથ્યા ચારિત્ર્યને વ્યક્ત કરી દે છે અને સાત વેદનીયના વિપાકમાં સમ્યફ દૃષ્ટિકોણ અને સમ્યફ ચારિત્ર્ય વ્યક્ત થઈ જાય છે. રસાયણ છે આચાર આર્યુવેદનો આધાર રસાયણ છે. તે સૌથી મોટી ઔષધવિધિ છે. રસાયણ જરા અને વ્યાધિને નષ્ટ કરનાર હોય છે. અનેક પ્રકારનાં રસાયણો બન્યાં. કહેવામાં આવ્યું કે આચાર સૌથી મુખ્ય રસાયણ છે. જો આચાર સમ્યફ ન હોય તો કોઈ અન્ય રસાયણ કામિયાબ થતું નથી. અનેક રસાયણો ખાવા છતાં વ્યક્તિ સ્વસ્થ બનતી નથી. આરોગ્યની બાબતમાં આચારને ક્યારેય ભૂલી શકાય નહિ . કર્મશાસ્ત્રીય ભાષામાં સુખદુઃખનો સંબંધ વેદનીય કર્મ સાથે જોડાય છે અને આચારશાસ્ત્રીય ભાષામાં તેનો સંબંધ આચાર સાથે જોડાય છે. - સુખદુ:ખના સંવેદનમાં ત્રણ કર્મોની ત્રિપુટી બને છે - વેદનીય કર્મ, નામ કર્મ અને મોહ કર્મ. આ ત્રણેયમાં વેદનીય કર્મ મુખ્ય છે. તેના આધારે શરીર સુખદુઃખનું સંવેદન કરે છે. આધ્યાત્મિક ચિકિત્સા પદ્ધતિ નિષ્કર્ષ સ્વરૂપે એમ કહી શકાય કે ચિકિત્સાપદ્ધતિઓમાં બાહ્ય કારણો તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. રોગનું નિદાન કરતી વખતે પણ બાહ્ય કારણોને જ જોવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આંતરિક કારણો – કર્મો તરફ ધ્યાન આપવામાં નહિ આવે ત્યાં સુધી નિદાનપદ્ધતિ અને ચિકિત્સા પદ્ધતિ અધૂરી જ રહેશે. આજે ચિકિત્સાની પ્રચલિત પદ્ધતિઓ સિવાય અન્યાન્ય પદ્ધતિઓનો વિકાસ જ આવશ્યક બન્યો છે. ભાવના દ્વારા પણ ચિકિત્સા કરવામાં આવે છે. ઔષધ આ પ્રયોગની સાથોસાથ ભાવનાનો પ્રયોગ પણ સફળ થાય છે. જો ' કલમ - મહાતીનું આમણા જ 83 . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy