SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ ઘૃણા કરે છે તો તેને મોહની કર્મનો બંધ થાય છે. કારણ કે તે મોહના કારણે ઘૃણા કરે છે. બંધ થશે મોહનીય કર્મનો, પરંતુ તેની સાથે સાત કે આઠ કર્મનો બંધ થશે. જો આયુષ્યનો બંધ ન થાય તો સાત કર્મનો બંધ થશે. તેમાં રોગ પણ છે. સાત વેદનીય પણ છે, અસાત વેદનીય પણ છે. એટલું અવશ્ય છે કે જો તે ઘૃણા કરે, ઈર્ષ્યા કરે તો મોહનીય કર્મને તેનો ભાગ વધુ મળશે. જે ડાયરેક્ટર છે તેનો ભાગ વધુ હશે જ, બાકીનાં તમામ સહાયક કર્મોનો ભાગ ઓછો હશે. એનું તાત્પર્ય એ છે કે – માણસ કરી રહ્યો છે ઘૃણા, પરંતુ બંધ થશે મોહનીય કર્મનો અને સાથોસાથ જ્ઞાનના આવરણનો પણ બંધ થશે, દર્શનાવરણીય અને વેદનીયનો પણ બંધ થશે. તમામનો બંધ થશે. દરેકનો પોતપોતાનો ભાગ બની જશે અને મુખ્ય ભાગ મોહનીય કર્મનો બની જશે. જેવી રીતે કર્મની વ્યવસ્થા છે એવી જ રીતે રોગની વ્યવસ્થા છે. એક માણસ રોગી બન્યો, તેને માથાનું દર્દ થયું. જે નિમિત્તે દર્દ થયું હશે તેને દર્દનો મોટો ભાગ મળી જશે. પરંતુ દર્દ માત્ર ત્યાં જ નથી થયું, સમગ્ર શરીરમાં થયું છે. એ શક્ય છે કે કરોડરજ્જુ અથવા અન્ય જગ્યાએ આપણે દર્દનો અનુભવ ન કરી શકીએ છતાં આપણી પાસે કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો જાણી શકાય કે તે દર્દ માત્ર માથામાં જ નથી. તે જગાને મોટો ભાગ મળ્યો તેથી ત્યાં દર્દ વધુ અનુભવાયું. આ સમગ્ર ચર્ચાને ધ્યાનમાં રાખીને જો આપણે આરોગ્યની મીમાંસા કરીએ તો આપણી સમક્ષ કેટલાક નૂતન નિષ્કર્ષ પ્રગટ થશે. જો આરોગ્યનો વિકાસ કરવો હોય તો માત્ર શરીર ઉપર ધ્યાન ન આપો, મન તરફ પણ ધ્યાન આપો, ભાવના તરફ પણ ધ્યાન આપો. મન અને ભાવનાનું સંચાલન કરનાર મસ્તિષ્ક છે, તેના તરફ પણ ધ્યાન આપો. જો આપણે આટલું કરી શકીશું તો મહાવીરની વાત પૂરેપૂરી સમજાઈ જશે. આભામંડળને ઓળખીએ ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું કે, ‘ભંતે ! મનની એકાગ્રતા દ્વારા શું થાય છે ?’ મહાવીરે કહ્યું, ‘મનની એકાગ્રતા દ્વારા ચિત્તનો નિરોધ થાય છે.' મનને એકાગ્ર કરો તો ચિત્તનો નિરોધ મહાવીરનું આોગ્યશાસ્ત્ર . પર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy