SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ બીમારીઓમાં ઘણો બધો ફેર પડે છે. અનેક બીમારીઓનું મૂળ અપાન-પ્રાણનાં સ્થાનમાં છુપાયેલું છે. જ્યારે આપણે નાસાગ્ર ઉપર ધ્યાન કરીએ છીએ અને એકાગ્ર થઈએ છીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે પાર્થિવ પરમાણુઓ ઉપર નિયંત્રણ કરવા માટે આ નાસાગ્રનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઇન્દ્રિય પર્યાપ્તિ અને આરોગ્ય આપણે ત્રણ ઉપર ધ્યાન કરીએ-નાસાગ, કંઠ અને નાભિચક્ર ઉપર. હઠયોગની ભાષામાં નાભિચક્રને મણિપુરચક્ર અને કંઠને વિશુદ્ધિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. નાસાગ્ર માટે યોગમાં કોઈ અલગ શબ્દ નથી, પરંતુ પ્રેક્ષાધ્યાનમાં તેમનાં નામ – તૈજસ કેન્દ્ર, વિશુદ્ધિ કેન્દ્ર અને પ્રાણ કેન્દ્ર છે. આપણે આ સત્ય જાણીએ કે નાકનું કામ માત્ર ગંધ લેવાનું નથી, આરોગ્યની માવજત કરવાનું પણ નાકનું મહત્ત્વનું કામ છે. મહાવીરનું જેટલું પણ વર્ણન મળે છે તેમાં મોટેભાગે આ વાત હોય છે કે મહાવીરે નાસાગ્ર ઉપર દૃષ્ટિ સ્થિર કરી લીધી. આ તેમના આરોગ્યની ચાવી હતી. આટલી મુશ્કેલીઓ સહન કરવા છતાં તેઓ સ્વસ્થ રહ્યા, શારીરિક, માનસિક અને ભાવનાત્મક દરેક દૃષ્ટિએ તે સ્વસ્થ રહ્યા. તેનું કારણ શું હતું ? નાસાગ્ર ઉપર ન્યસ્ત દૃષ્ટિ એમના આરોગ્યનું એક મહત્ત્વપૂર્ણ રહસ્ય હતું. આંખનું કામ જોવાનું છે, પરંતુ માત્ર એટલું જ તેનું કામ નથી. આંખ પણ આપણું એક ચૈતન્ય કેન્દ્ર છે. આરોગ્યમાં આંખનો પણ બહુ મોટો યોગ છે. કાન માત્ર શ્રવણનું કેન્દ્ર નથી, નશાની આદતને સુધારવા માટેનું પણ તે એક બહુ મોટું કેન્દ્ર છે. પ્રેક્ષાધ્યાનમાં પાંચેય ઇન્દ્રિયો ઉપર ધ્યાન કરાવવામાં આવે છે. પર્યાપ્તિઓની ધ્યાનવિધિ પણ વિકસિત છે, પરંતુ પ્રયોગ હજી કરાવવામાં આવ્યો નથી. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિની સાથે ઇન્દ્રિય પર્યાપ્તિઉપર પણ ધ્યાન આપવું અપેક્ષિત છે.જો ઇન્દ્રિયોસ્વસ્થ હોય તો તમે સ્વસ્થ રહી શકો છો. તમે માત્ર પાંચ મિનિટ માટે આંખ 6 ઉપર ધ્યાન કરો તો પાંચ મિનિટ માટેકાન ઉપર ધ્યાન કરો, દસ મિનિટ માટે નાક ઉપર ધ્યાન કરો તો તમને અનેક મુશ્કેલીઓ, શારીરિક બીમારીઓ વગેરેમાંથી મુક્તિ મળી જશે. આ અનુભૂત પ્રયોગ છે. વિક રીતે જ મહાવીરનું આધ્યાત્વ + ૪૧ માં થી કોઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy