SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અતીન્દ્રિય ચેતનાનાં અંગો પણ આપણી અંદર છે. નંદીસૂત્રમાં આ વિષય ઉપર ખૂબ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો. અતીન્દ્રિય ચેતનાને બહાર નીકળવા માટે ઉપયુક્ત અવયવ, અંગો આપણા શરીરના અગ્ર ભાગમાં પણ છે, શરીરના પૃષ્ઠ ભાગમાં પણ છે, શરીરના જમણા-ડાબા ભાગમાં પણ છે. ઉપર-નીચેના ભાગમાં પણ છે. પાંચેય દિશાઓમાં આપણા શરીરમાં તે કેન્દ્રો આવેલાં છે, જેના દ્વારા આપણી ચેતના બહાર નીકળી શકે છે, અતીન્દ્રિય વિષયને જાણી શકાય છે. - ઉદાહરણની ભાષામાં સમજાવવામાં આવ્યું - એક દીવો મૂકવામાં આવ્યો અને તેના ઉપર એક જાળીવાળું ઢાંકણું મૂકવામાં આવ્યું. દીવામાંથી જે પ્રકાશ બહાર નીકળશે તે સીધો નહિ નીકળે, જાળીનાં છિદ્રોમાંથી નીકળશે. એ જ રીતે આપણા સમગ્ર શરીરમાં આવાં છિદ્રો બનેલાં છે, જેમાંથી ચેતનાનાં કિરણો બહાર નીકળી શકે છે. જેવી રીતે આપણા શરીરમાં જ્ઞાનનાં સંવાદી અંગો છે એવી જ રીતે જ્ઞાનાવરોધનાં કેન્દ્રો પણ આપણા શરીરની અંદર છે. તે જ્ઞાનનો અવરોધ કરે છે, જ્ઞાનને બહાર આવવા દેતા નથી. સંવેદનાનાં અંગો આપણી ભીતરમાં છે અને સંવેદનાને રોકનારાં અંગો પણ આપણી ભીતરમાં છે. એનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક કર્મનાં અંગો આપણા શરીરમાં છે અને તે સંવાદી બનેલાં છે. વર્તમાન શરીરશાસ્ત્રીઓએ તેમને ઓળખ્યાં છે. સંવેદનાનો સંદેશ કેવી રીતે ભીતર સુધી જાય છે, કેવી રીતે આવે છે ? તેની અનુભૂતિ શી રીતે થાય છે ? મોહનાં સંવાદી અંગો પણ શરીરમાં નિર્મિત છે, ત્યાં મોહકર્મ પ્રગટ થાય છે. અવરોધ પેદા કરનારાં, શક્તિને તોડી નાખનારાં તત્ત્વો પણ આપણા શરીરની અંદર છે. જો કર્મશાસ્ત્ર અને કર્મ શરીરને નજર સામે રાખીને વિચાર કરીએ તો આપણા શરીરમાં એટલાં બધાં કેન્દ્રો બનેલાં છે કે સેંકડો પ્રકારની શક્તિઓ જાગૃત કરી શકાય છે. તેમાંની એક શક્તિ છે આપણી આરોગ્યની શક્તિ. ભીતરમાંથી જે પ્રવાહ અને સ્પંદનો આવે છે, તે આપણા શરીરને પ્રભાવિત કરે છે. એવા અનેક રોગ છે, જેમનું બાહ્યકારણ આ માલૂમ પડતું નથી. ન કોઈ ચિંતન, ન કોઈ વાયરસ, ન કોઈનો શ્રી પારિસ્થિતિક – કશું જ થતું નથી, છતાં રોગ પ્રગટ થઈ જાય છે. તે છે સ્પંદન સ્થૂળ શરીરમાં કર્મ શરીર અને તૈજસ શરીર દ્વારા આવી રહ્યાં . આ નિ મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૩૫ " " " Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy