SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન વૃદ્ધના આરોગ્યની એક પ્રશ્ન છે વૃદ્ધના આરોગ્યનો. વૃદ્ધાવસ્થા ક્યારે શરૂ થાય છે? સિત્તેર વર્ષની અવસ્થા સુધી માણસ ઘરડો થતો નથી. જે માણસ તેની પહેલાં જ પોતાની જાતને ઘરડો માની લે છે. તે માન્યતાજનિત દોષના કારણે અસમયે જ વૃદ્ધ બની જાય છે. માણસે સિત્તેર વર્ષ સુધી પોતાને ઘરડો માનવો જ ન જોઈએ. સિત્તેર વર્ષ પછી પણ જો તે જાગરૂક રહે તો ઘડપણ દૂર ધકેલાતું રહેશે. વર્તમાન વિજ્ઞાન એ દિશામાં સક્રિય છે કે વ્યક્તિ ઘરડી ન બને. વૈજ્ઞાનિકો એવું સંશોધન કરી રહ્યા છે કે ઘડપણને શી રીતે ટાળી શકાય. વૈજ્ઞાનિકોની સામે પ્રશ્ન એ પણ છે કે માણસ શી રીતે સદાય યુવાન બની રહે ? એટલું જ નહિ, તે માણસને અમર બનાવવાની વાત પણ વિચારી રહ્યા છે. તે માટે અનેક વિધિઓનો વિકાસ પણ કર્યો છે. અનેક વ્યક્તિઓએ પોતાની જાતને અમર બનાવવા માટે આવેદન કરી દીધું છે. ભવિષ્ય માટે યોજનાઓ બનાવી દીધી છે. ચોક્કસ રકમને ફિક્સ ડીપોઝિટ તરીકે મૂકી દીધી છે. વ્યક્તિ જે દિવસે ઇચ્છશે તે દિવસે જીવિત શરીરને પ્રયોગશાળામાં સુરક્ષિત મૂકી દેવામાં આવશે. તેનું એ શરીર શીતીકૃત “મમી' સ્વરૂપે નિર્ધારિત અવધિ સુધી પડ્યું રહેશે. તેને ફરીથી ક્યારે જીવાડવું તે સમય પણ નિશ્ચિત રહેશે. નિશ્ચિત સમયે શીતીકૃત અને સુરક્ષિત શરીરને ફરીથી જીવાડી દેવામાં આવશે. માણસનું આ ચિંતન’માત્ર કલ્પનામાં જ નથી, ક્રિયાન્વિત થઈ રહ્યું છે. તેની પ્રક્રિયા લગભગ તૈયાર થઈ ગઈ છે. અનેક લોકોએ આ સમ્મોહક પ્રસ્તાવને સ્વીકારીને યોગ્ય રકમ પણ ચૂકવી દીધી છે. માણસને અમર બનાવવાનો આ અભિક્રમ કેટલો સફળ થશે તે કહી શકાય તેમ નથી, તેની કોઈ ભવિષ્યવાણી પણ અત્યારે કરી શકાય તેમ નથી, પરંતુ વર્તમાન વૈજ્ઞાનિકો આ પ્રયત્નો દ્વારા નવી આશાને ચોક્કસ જન્મ આપી રહ્યા છે. - ઘડપણને આગળ ધકેલવા માટેના પણ અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એવા ઉપાયો શોધાઈ રહ્યા છે કે જેથી ઘડપણને રોકી શકાય, ઘડપણ આવે જ નહિ અને માણસ સદા યુવાન જ બની રહે. કદાચ ચ્યવન ઋષિએ એ માટે ચ્યવનપ્રાસની શોધ કરી હતી કે માણસ ઘરડો થાય જ નહિ. પરંતુ આજે તો ચ્યવનપ્રાસ ખાનારા પાક કાપી " મહાવીરનું આરોગ્યશાસ્ત્ર - ૧૫૪ ,, પછી * * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy