SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અને સાધના એક પ્રશ્ન છે કે બૌદ્ધ સાધનાપદ્ધતિમાં આસનનું વિધાન શા માટે કરવામાં આવ્યું નથી ? તેનું કારણ પણ સ્પષ્ટ છે -- બૌદ્ધદર્શનમાં માત્ર એક દંડ-મનોદંડનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મની સમગ્ર સાધનાપદ્ધતિ મનના આધારે ચાલે છે. ત્યાં વાકૂદંડ અને કાયદંડનું વિધાન નથી. મહાવીરે ત્રણ પ્રકારના દંડ ગણાવ્યા મનોદંડ, વચનદંડ અને કાયદંડ. એમ કહેવામાં આવ્યું કે કાયા પણ એક દંડ છે, તેને સાધવી એ પણ જરૂરી છે. પ્રશ્ન ઉદ્ભવ્યો કે કાયાનો સાધના સાથે શો સંબંધ છે ? હકીકતમાં શરીર સાથે સાધનાનો ખૂબ ઊંડો સંબંધ છે. આપણે શરીરના સ્નાયુતંત્રને સારો અભ્યાસ નહિ આપીએ તો મન પણ સારું રહેશે નહિ. ઊંડાણમાં જઈએ તો એવો સિદ્ધાંત ફલિત થશે કે મન અને વાણી સ્વતંત્ર નથી. શરીર દ્વારા વાણીનું સંચાલન થાય છે અને શરીર દ્વારા મનનું સંચાલન થાય છે. જો આપણું સ્વરતંત્ર બરાબર ન હોય તો વાણીનો સમ્યક્ પ્રયોગ થઈ શકતો નથી. જો મનને સંચાલિત કરનાર મસ્તિષ્કીયતંત્ર બરાબર નહિ હોય તો મનનું કાર્ય પણ સમ્યક્ નહિ રહે. મન, વાણી અને શ્વાસ આ બધાનો સંચાલક કોણ છે ? આ બધાનાં સંચાલક તંત્રો શરીરમાં છે. તે તંત્રને સ્વસ્થ અને સક્રિય રાખવાનાં મુખ્ય બે સાધનો છે આસન અને પ્રાણાયામ. તેમાં પ્રથમ સ્થાન આસનનું છે. આસન દ્વારા જે નિયંત્રક તંત્ર છે, તેમનું સમ્યક્ સંચાલન કરીએ તો માણસ સ્વસ્થ રહે છે. પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર – વગેરે શરીરના મુખ્ય વિભાગો છે. બેચેની, ઉદાસી, ડિપ્રેશન વગેરેનું કારણ પણ એ જ બને છે. સ્વસ્થ રહેવાની શરત એ છે કે ઉત્સર્જનતંત્ર, પાચનતંત્ર અને શ્વસનતંત્ર સ્વસ્થ રહેવાં જોઈએ. જો આપણે તેમના તરફ ધ્યાન ન આપીએ, આસન દ્વારા તેમનું સમ્યક્ સંચાલન સુનિશ્ચિત ન કરીએ તો ડૉક્ટર અને દવાની શરણાગતિ સિવાય અન્ય કોઈ ગતિ રહેતી નથી. આસનની પ્રક્રિયા એક પ્રશ્ન છે કે આસનની પ્રક્રિયા શી છે ? આસનનો ક્રમ કેવી રીતે શરૂ કરવો ? મહાવીરની વાણીમાં આસનની જે પ્રક્રિયા મહાપીનું આયેયશાસ્ત્ર પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy