SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવે છે કે જો આસન-વ્યાયામ નહિ કરો તો બીમારી વધતી જશે. જો ઘૂંટણનો દુખાવો હોય તો નિરંતર વ્યાયામ કરો નહિતર બીમારીની ગંભીરતા વધતી જશે. પૂજ્ય ગુરુદેવના મોટાભાઈ મુનિશ્રી ચંપાલાલજી દક્ષિણ ભારતની યાત્રાએ હતા. તેમને ઘૂંટણમાં દુખાવો શરૂ થયો. સુપ્રસિદ્ધ અસ્થિચિકિત્સક ડૉ. ઢોલકિયાને બતાવ્યું, કહ્યું, કે ચૂંટણીમાં પીડા છે, યાત્રા કરવી કે ન કરવી ? ડૉ. ઢોલકિયાએ કહ્યું કે, મુનિશ્રી ! આપ યાત્રા બંધ ન કરશો, જ્યાં સુધી આપ ચાલતા રહેશો, આ સ્નાયુઓ ઉપર દબાણ પડતું રહેશે ત્યાં સુધી આપ ચાલી શકશો. જે દિવસે આપ ચાલવાનું બંધ કરી દેશો તે દિવસથી આપ ક્યારેય ચાલી નહિ શકો ... આ સ્નાયવિક તનાવ સમગ્ર શરીર માટે આવશ્યક છે. આસન અને વ્યાયામ શરીરના પ્રત્યેક અવયવને સક્રિય બનાવી દે છે. આસનનું વિધાન શા માટે? ભગવાન મહાવીરે જે આસનોનું વર્ણન કર્યું, તેમાં અલગ અલગ પ્રકારના સ્નાયવિક તનાવ થાય છે. એક આસન દંડાયતિક - સીધા બેસીને પગને લાંબો કરીને ખેંચાણ પેદા કરવાનું છે. બીજું આસન છે ઉત્તાનશયન – સીધા સૂઈ જવું. બીજું એક આસન છે અવમશયન – ઊંધા સૂઈ જવું. અન્ય એક આસન છે પાર્શ્વશયન - ડાબી બાજુ અને જમણી બાજુ સૂઈ જવું. આ રીતે અનેક પ્રકારનાં આસનો બતાવવામાં આવ્યાં છે, જેમાં નિર્જરા છે, આત્માનું શુદ્ધીકરણ છે, ગ્રંથિઓનું શુદ્ધીકરણ છે અને તેની સાથોસાથ આરોગ્યની દૃષ્ટિકોણ પણ છે. જો આરોગ્યની દૃષ્ટિકોણ ન હોત તો આસનોના આટલા બધા પ્રકારો શા માટે બતાવવામાં આવ્યા હોત ? નિર્જરા અને આત્મશોધન એક આસન દ્વારા પણ થઈ શક્યા હોત. જો એક ગોદોહિકા આસન કરવામાં આવે તો પ્રચુર નિર્જરા થઈ જાય છે. વિવિધ આસનોનું પ્રતિપાદન શા માટે કરવામાં આવ્યું ? કાયોત્સર્ગનું 1 વિધાન શા માટે કરવામાં આવ્યું ? તેની પૃષ્ઠભૂમિમાં આરોગ્યનો - દૃષ્ટિકોણ પ્રબળ સ્વરૂપે છે. કોઈ મુનિ માટે અન્યાન્ય ચિકિત્સાઓ - જટિલ બને છે. આવા સંજોગોમાં તે સ્વસ્થ રહે તે માટે આરોગ્યના - સંદર્ભમાં અનેક પ્રકારનાં આસનોનું વિધાન કરવામાં આવ્યું. કરી મહાવીરનું આયla ના ૧ I ! * * * * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy