________________
સ્થલે આપેલ શાસ્ત્ર પ્રમાણેના સંવાદ વિગેરેથી લેખકની કતિએ પૂર્ણ વિશ્વસનીય છે અને તે સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલ છે એમ સદેહરહિત નક્કી કરી શકાય છે. બીજા બેલસંગ્રહની તે રચના સાલ સં. ૧૮૬૧ અને સ્થલ પાટણ શહેર હોવાનું પૃ. ૧૭૫ માં “સંવત ૨૬દર વર્ષે ઉત્તરન ” અક્ષરોથી સ્પષ્ટ વિદિત થાય છે.
આ પુસ્તકના મૂલમાં ઘણે સ્થલે ખ” ના ઉચ્ચારમાં ” તેમજ “ ના ઉચ્ચારમાં “ર વિગેરે લખાયેલા જોવામાં આવશે. પ્રાચીન ભાષા લીપીની આ એક વિશિષ્ટતા હોવાથી પૂજ્ય આચાર્યદેવે તેમના તેમજ રાખેલ છે. જ્યાં અધિક અથવા અશુદ્ધ અક્ષરપાઠ લાગ્યા છે ત્યાં તેને [] કાટ ખૂણમાં મુકેલ છે, જ્યાં તૂટક અથવા શંકાસ્થલ લાગ્યાં છે ત્યાં સાથે “? પ્રશ્નાર્થક ચિહ્ન બતાવ્યું છે અને બાકી જ્યાં અક્ષરભેદ અથવા પાઠની અપૂર્ણતા કિંવા અશુદ્ધિ જણાઈ ત્યાં મૂલની સાથે જ () કૌંસ કરીને તેમાં શુદ્ધ અક્ષર પાઠ પૂજ્યશ્રીએ આપેલ છે. ટૂંકમાં અમે આશા રાખીએ છીએ કે-આવા ઉત્તમ પ્રકાશનને પાઠકે સારી રીતે લાભ ઉઠાવશે. આ પ્રકાશનમાં કયાંક અશુદ્ધિ કે ક્ષતિ રહી ગઈ હાય, તે તે દરગુજર કરી સુધારી લેવાની અમે વાંચકને પ્રાર્થના કરીએ છીએ. જ્ઞાનસેવાના આ મહાયજ્ઞમાં સ્વદ્રવ્યવ્યયાદિથી સહાયક થનારા પુણ્યવાન મહાશાને આભાર માનીને આ અલપ નિવેદનથી અમે વિરમીએ છીએ. સં. ૨૦૦૭ ના ફાગણ સુદ ૮ શુક્રવાર.
માનદ મંત્રી, મુ. જ્ઞા, ડાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org