________________
૧૦૬
[ તoખભેલ પણ આ પારવાના મેળે જે બીજે દિવસે પિસહ કરવાના હોય તે પારવાના પણ છે, જે કરવાના નથી તે પારવાના પણ નથી. અને વલી શ્રી આવશ્યકનિર્યુક્તિ તથા. તત્ત્વાર્થમાં ગાથા કહી છે–
“શ્રી જિનમતમાં સર્વત્ર દિવસે તપયોગ પ્રશસ્ત છે, છતાં આઠમ ચૌદશે તો નિયમે કરીને પૌષધ વિગેરેમાં અવશ્ય , રહેવું.” આથી ચતુષ્પવી “નિયમ” એટલે નિશ્ચય કરીને. સામાયક સિહ સાથે લે, જે ન લેતે ઉપવાસનું પ્રાય-. શ્ચિત્ત લાગે અને જે પડવાદિક બીજી તિથિઓ છે તેમાં હંમેશાં ઉજમાળ રહેવું, પણ પિસહ લેવાને નિયમે ય નથી અને જે ન કરે તે પ્રાયશ્ચિત્તે નથી, તે માટે ચતુષ્પવમાં નિશ્ચયથી સાથે લેવાને કહ્યો. અને અંગ, ઉપાંગ આદિ સિદ્ધાંતમાં સુબાહુ, નંદમણિકાર, અભયકુમાર, ઉદાયિરાજા, નિષકુમાર આદિએ અદૃમ તપે પૌષધ લીધાનું કહ્યું છે,
ત્યાં “અન્યદા કયારે પૌષધશાલામાં પૌષધ લીધે” એવે સમુચ્ચય પાઠ છે, ત્યાં ચતુષ્પવિનું નામ નથી, પહેલા ત્રણે શ્રાવક સુબાહુ આદિના અધિકારે અમભક્ત પિસહ કહ્યા છે (આમાં ચતુષ્પવી સિવાયના બીજા દિવસ આવે જ છે.) શ્રી વસુદેવહિંડી તથા આવશ્યક, પંચાશક, તત્ત્વાર્થ ઈત્યાદિ બીજાં શાસ્ત્રોમાં પૌષધ દેશથી અને સર્વથી કહ્યા છે (પણ અપર્વિએ “ન થાય” એમ કયાંય કહ્યું નથી,) આમ છતાં જે પોષધ ઉત્થાપે છે તેને વિરોધ આવે છે.” (ઈતિ ભેદ ૧૨૨) સામાયકની જેમ પૌષધ કરીને પણ પિતાને કાલ સફલ કર. છતાં ખરતર નથી માનતા કે તેમને કદાગ્રહ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org