SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮ ૧૧૫ આ અધ્યાયના સૂત્રોની ખૂબી એ છે કે એણે ગીતાએ કહેલ મેહના મુખ્ય બે ભેદ પાડ્યા, મેહનીય કર્મમાંના) દર્શનમોહ અને ચારિત્રમોહ અને ક્રોધ, માન, માયા અને લોભની ચાર ચાર કષાયની ચાર ચેકડીઓ ઉપરાંત હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને સ્ત્રીવેદ, પુરુષવેદ તથા નપુંસક વેદરૂપ નવ કષાય (કષાય સમર્થક દૃષ)ને પણ એ રીતે જોડી દીધા, કે શ્રીમદ્ કહે છે : મોહ ખરેખર સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો વિશાળ અને ગડનથીયે ગહન છે.”તેની ખાતરી થાય. ઉપરાંત કાયા કરતાં વચનથી અને વચન કરતાંય મનથી કેટલીક વાર કેટલાં ઊંડાં અને ગાઢ કર્મો બંધાય છે, તે વિચારતાં થાકી જવાય એવું છે. પણ આ વિષય એટલો બધે રસમય બની જાય છે કે એ વિચારમાં લયલીન પણ થઈ જવાય એવું છે. દા. ત. જૈન આગમો એક તંદુલિયા મચ્છને દાખલ આપે છે. ત્યાં કહે છે કે એ વિશાળકાય મહામરછ કરતાંય એ મહામચ્છની આંખની પાંપણમાં રહેલે ચોખાના દાણા જેવો મરછ માત્ર મનથી એટલાં બધાં કર્મો બાંધી નાખે છે કે પેલો મહામછ પ્રત્યક્ષ પોતાની મહાકાયાથી ખોરાકમાં માછલીઓની હિંસા કરી ભોગવીને જે છઠ્ઠી નરકમાં જાય, તે પેલે માત્ર મનના વિચારે એના કરતાંયે નીચે સાતમી નરકમાં જઈ શકે છે. મતલબ, તમે કર્મ કાયાથી કરે છે, વચનથી કરે છે કે મનથી કરે છે. એ સાથે કર્મ બંધનને ગૌણ નિસ્બત છે; મુખ્ય નિસ્બત છે, તમે તમારા મનમાં કર્મ પર કેટલી આસક્તિ ધરાવો છે ! આથી જ ગીતા જે કર્મવેગ પર ભાર આપે છે તે જ સાચો રસ્ત સિદ્ધ થાય છે. આ યુગના સમાજગત સાધનાને બહાર લાવનાર મહાત્મા ગાંધીજી સાચા અને મહાન વ્યવહારુ કર્મયોગી આ રસ્તે જ બની શકયા હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy