________________
પ્રસ્તાવના.
જૈનતત્ત્વ-પ્રદીપ અને સપ્તભંગી-પ્રદીપ જેવા પ્રૌઢ ગ્રંથના રચનારા, ન્યાયતીર્થ અને ન્યાયવિશારદ એ ઉપાધિઓથી વિભૂષિત, સદ્ગત શાઅવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના વિનીત તેમજ વિદ્વાન્ શિષ્ય-રત્ન મુનિશ્રી મંગલવિજયજીની કસાયેલી કલમથી લખાયેલા, સાંખ્યાદિક છ દર્શનેના અભિમન્તવ્ય વિષયેના પ્રદર્શનથી તેમજ તેની સમભાવપૂર્વક તથા ન્યાયસંગત સમાલોચનાથી ગહન એવા આ તસ્વાખ્યાનની પ્રસ્તાવના લખવા મારા જે તૈયાર થાય તે સાહસ નહિ તે બીજું શું કહેવાય ?
આ પ્રશ્નનના સમાધાનાથે મારે એટલું તે નિવેદન કરવું પડશે કે આ તત્ત્વાખ્યાનના ગ્રન્થકારે અપૂર્વ પ્રેમપુર
સ્તર મને બે વર્ષ પર્યત જનશાસ્ત્રને સતત અભ્યાસ કરાવ્યો હતો અને તેમાં ખાસ કરીને વિનયવિજયજીકૃત લોકપ્રકાશમાંથી દ્રવ્ય પ્રકાશ તેમજ વાચકશિરોમણ ઉમા
સ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર જેવા માનનીય ગ્રન્થનું વિવેચનપૂર્વક અધ્યયન કરાવ્યું હતું. આ ઉપરાંત તેમના ધર્મબંધુ ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી પાસેથી તેમની રચેલી વિવિધ દર્શનેના વિષયની ઝાંખી
૧ આ ગ્રન્થ-કર્તાએ દ્રવ્ય-પ્રદીપ, ધર્મ-પ્રદીપ ઈત્યાદિ નાનાં નાનાં પુસ્તક પણ રચેલાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org