SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ છે કે ગૌતમસ્વામી અષ્ટાપદે ગયા ત્યારે તેમણે જગચિતામણિની પહેલી બે ગાથાઓ વડે ચૈત્યવંદન કર્યું હતું. ગૌતમસ્વામીને અંગે આ ઉલ્લેખ આની પહેલાંની કઇ કૃતિમાં હોય એમ જાણવામાં નથી. જો ન જ હોય તો આ વાત પ્રાચીનતા માટે ઉપયોગી શી રીતે બને. (૧૧) અંકિંચિ-આ કૃતિ ઉપર્યુક્ત વિ. સં. ૧૬૭૮ માં લખાયેલી પ્રતિમાં છે. વિશેષ જાણવા ન મળે ત્યાં સુધી એ વિ. સં. ૧૬૭૮ જેટલી જ પ્રાચીન ગણાય. (૧૨) નમુથુણં–આ કૃતિ એવવાઇયના ૨૦ મા સૂત્રમાં રાયપસેલુઈ જજના ૧૩ માં સૂત્રમાં અને પ સવણું કપના ૧૫ માં સૂત્રમાં જોવાય છે. અહીં એ ઉમેરીએ કે પજોસવણકપમાં તેમજ સમવાયમાં સરણદયાણું પછી જીવદયાણું પાઠ છે તે .....માં નથી. ચક્કવટ્ટીણું’ પછી ‘દી તાણું સરખું ગઈ પટ્ટા” જે પાઠ છે તે આમાં નથી વિશેષમાં પ્રસ્તુત કૃતિમાં જે તે સમયા” થી શરૂ થતી ગાથા છે તેને કાઈ આગમમાં તેમજ લલિત વિસ્તરામાં નથી. રાય. માં છ ઉમાણું” પછી કશો પાઠ નથી. ઉપર્યુકત ગાથાઓ કલિ. હેમચન્દ્રસૂરિ કૃત યોગશાસ્ત્ર (પ્ર. ૩) પત્ર ૨૨૩ ના સ્વપજ્ઞ વિવરણમાં નિર્દેશ છે એટલે એ ગાથા એટલી તો પ્રાચીન છે જ. તરણુપ્રભસૂરિએ ઉપર્યુંકત બાલાવબેધામાં આ ગાથા ઉમાસ્વાતિએ રચેલી કહી છે. શું એ ઉમાસ્વાતિ તે તત્વાર્થસૂત્રના કર્તા છે કે બીજા કેઈ ! ૧. એ વિ. સં. ૧૧૬ર માં સૂરિ બન્યા અને વિ. સં. ૧૨૨૯માં કાળધર્મ પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy