SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૪] શબ્દાલંકાર અને અર્થાલંકારો ૯૯ (૫) વદિત–આની ૩૦મી ગાથામાં સુશિક્ષિત વૈદ્યનું અને ૪૦ મી ગાથામાં ભારવહન કરનારનું ઉદાહરણ છે એ કોઈ અલંકારસૂચક ગણાય તેમ હોય તે તેનું નામ વિશેષજ્ઞો દર્શાવવા કૃપા કરે. (૬) કમલદસ્તુતિ–આમાં શ્રુતદેવતાનાં નેત્રને, વદનને અને એ દેવીના વર્ણને અનુક્રમે કમળનાં વિશાળ પત્રો, કમળ અને કમળના ગર્ભ યાને મધ્ય ભાગના જેવાં કહેલ છે. (૭) નમે ડસ્તુ વર્ધમાનાય. આના બીજા પદ્યમાં કહ્યું છે કે જે સુવર્ણની કમળ ઉપર તીર્થકર પગ મૂકી ચાલે છે તે કમળો જાણે કહે છે કે તીર્થ કરના ચરણરૂપ કમળોની સાથે અમારે સમુચિત સંયોગ થયો. આ સ્તુતિના તૃતીય પદ્યમાં જિનેશ્વરના મુખને મેઘ અને એમની વાણુને શુક્ર (જે) માસમાં થયેલી દૃષ્ટિ કહેલ છે. પ્રથમ પદ્ય સુંદર અનુપ્રાસથી, દ્વિતીય પદ અર્થાન્તરગર્ભિત ઉક્ષાથી અને તૃતીય પદ્ય ઉપમાથી અલંકૃત હોવાનો પ્ર૦ ટી (ભા. ૨, પૂ. ૪ર૭) માં ઉલેખ છે (૮) પ્રભાતિક સ્તુતિ (વિશાલ૦) આમાં મહાવીર સ્વામીના વદનને પદ્ય-કમળ, એમના વિશાળ નેત્રોને એ પદ્મનાં પડ્યો અને એમના દાંતનાં કિરણે કેસર (પુપતતુ) કહેલ છે. તૃતીય પધમાં જિનેશ્વરે પ્રરૂપેલા આગમને અપૂર્વ ચન્દ્ર કહે છે, કેમકે એ ચન્દ્ર તો સાધારણ ચન્દ્ર જેવો નથી. એ તો કલંકથી રહિત, પૂર્ણતાને પામેલે, કુતરૂપ રાહુને ગળી જનારો, સર્વદા ઉદય પામેલે અને વિબુધે વડે વન્દિત છે પ્ર. ટી. (ભા. ૨. પૂ. ૪૩૯) માં કહ્યું છે કે પ્રથમ કલેકમાં રૂપક અલંકાર, દ્વિતીયમાં “અનુપ્રાસ અલંકાર અને તૃતીયમાં વ્યતિરેક અલંકાર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy