SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ २४ સર્વશ્રેષ્ઠ નમસ્કાર છે. પરંતુ એ કરવાની હાલ અશક્તિ છે તેથી સામગને મારે નમસ્કાર થાઓ એમ કહેવાય. - આ રીતે પાંચેય પદના અર્થોમાં સમજવું. નમસ્કાર-મન્ત્ર એ શ્રતસ્કંધ છે. શ્રતસ્કન્ય એટલે અખંડશ્રત (આગમ) પણ શ્રતને દેશ નહિ અને તેનાં પદો તે પ્રત્યેક સ્વતન્ત્ર અધ્યયન છે, માટે પાંચે ય પદોમાં “નમો પદ પૃથક્ પૃથક્ પાંચ વખત મૂકવામાં આવ્યું છે. “અરિહંત પદના બે અર્થ ચાર ઘાતી કર્મ રૂપી શત્રુ (અરિ)ને સંપૂર્ણપણે હણનાર અરિહંત કહેવાય છે. પરંતુ અરિહંતને મુખ્ય અર્થ અહં–ગ્ય હોનારા એ થાય છે. એટલે કે અષ્ટ પ્રાતિહાર્ય વગેરે લકત્તર પુણ્ય-સંપત્તિની પૂજાને જેઓ યુગ્ય છે તે અરિહંત કહેવાય છે. અરિને હણે તે અરિહંત એટલે માત્ર અર્થ લેવાય તે સામાન્ય કેવલજ્ઞાની પણ અરિહંત કહેવાઈ જાય. આ આપત્તિ દૂર કરવા માટે ઉપયુક્ત બીજો અર્થ મુખ્ય લઈ આ અર્થ પણ સાથે જોડવો. એટલે હવે ચાર ઘાતી કર્મોના નાશક અને અષ્ટ પ્રાતિહાર્યાદિ પુણ્યલક્ષ્મીથી સેવ્ય જે હોય તે તીર્થકર નામકર્મના વિપાક ઉદયવાળા આત્મા–તારક પરમાત્મા–ને જ અરિહંત કહેવાય. તેઓ ૩૪ અતિશય [જન્મથી ચાર મૂળ અતિશય, કર્મક્ષયથી અગિયાર ને દેવકૃત ઓગણીશથી યુક્ત હોય છે. આ જ ૩૪ અતિશયમાં મુખ્યપણે તેમના ૧૨ ગુણ [૮ પ્રાતિહાર્ય અને ૪ મુખ્ય અતિશય, જ્ઞાનાતિ વચનાતિ, પૂજાતિ અપાયાપગમાતિશય] કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy