SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ તેથી તે વ્યક્તિ પણ એમ કહે છે કે, “ટાઢ બહુ લાગતી. હતી પણ અગ્નિએ મારી ટાઢ ઉડાડી.” બરોબર આ જ રીતે પ્રસ્તુત વાત સમજવી. પરમાત્માની પાસે પ્રસાદ-કૃપા–માગનારને પરમાત્મા . ભલે કૃપા આપતા નથી, છતાં પરમાત્માને પ્રભાવ છે કે એમનું આવું શરણ સ્વીકારનાર વ્યક્તિને આ શરણાગતિના સમર્પિતભાવમાં રહ્યો એવા પ્રકારને કર્મોને ક્ષપશમાદિ થાય છે કે તેની તેને અચૂક લાભ થાય છે, અને તેથી તે. આત્મા એમ જ કહે છે કે, “પરમાત્માની કૃપા માગી; અને પરમાત્માની કૃપા મારી ઉપર ઊતરી, એથી મને આટલા લાભ થયા!” વસ્તુતઃ તે વીતરાગ એવા પરમાત્માની કૃપા ઊતરવાને કેઈ સવાલ જ ઉપસ્થિત થતું નથી; અન્યથા જેની કૃપા ઊતરે એની ખફગી ઊતરે જ, એ ન્યાયે પ્રભુ જે ભક્તો ઉપર રાગ કરત તે જિનધર્મના શત્રુઓ તરફ રોષ પણ કરત જ. પરન્તુ જ્યારે તેઓ રેષ કરતા કદી જણાયા નથી. ત્યાર રાગ પણ કરતા નથી એ નિશ્ચિત થાય છે. છતાં તેમના પ્રભાવનાં જે ફળે છે તેમની ભક્તિના ભાવથી ભાવુક આત્માને મળે છે. એટલે તેમાં “આરાધ્ય” તરીકેનું આલંબન. પરમાત્મા બનવાથી “પરમાત્માએ જ કૃપા ઉતારીને તે લાભ આપે” એમ ભક્ત જરૂર કહી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy