SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પાપકર્મને સર્વનાશ કરવાનું કાર્ય આ કાયેત્સર્ગનું છે. જેને પાપકર્મો, પાપવાસના ત્રાસરૂપ જણાતાં હોય તેણે તેના સંપૂર્ણ નાશ માટે સજ્જ થવું જ જોઈએ. આ નાશ માટે કાર્યોત્સર્ગ એ અત્યંત બળવાન છે. પાપકર્મોને સમૂળ નાશ કરી આપે તે કાર્યોત્સર્ગ જેણે કર હોય તેણે ઉત્તરીકરણ આદિ ચાર હેતુઓનું પહેલાં આલંબન લેવું જોઈએ. ઉત્તરીકરણ આદિ ચાર ક્રિયાઓ. કરી લેવાથી કાર્યોત્સર્ગ ખૂબ સરસ રીતે થાય છે. એવે એ કોત્સર્ગ સર્વ પાપકર્મોના સર્વનાશને સાધક બને છે. સર્વ દુઃખનું વિમોચન કરનારે થાય છે. કાર્યોત્સર્ગનું મહત્ત્વ : કાયેત્સર્ગ એટલે ધ્યાન–સાધના કરવા માટેની એક વિશિષ્ટ અવસ્થા છે. એ ઘનિયુક્તિમાં કાર્યોત્સર્ગને ત્રણ ચિકિત્સારૂપ કહીને તેનું ભારે મહત્ત્વ બતાવ્યું છે. પાપના જે ઘા (ત્રણ) પડ્યા હોય તેને રૂઝવીને–નિર્મૂળ કરવાની ક્રિયા કાયેત્સર્ગમાં પડેલી છે. ટૂંકમાં, ઘા સાફ કર્યા પછીને મલમપટ્ટો તે કાર્યોત્સર્ગ છે. શ્રી જિનશાસનમાં કાર્યોત્સર્ગનું ભારે મોટું ગૌરવ છે. છ આવશ્યકમાં એ પાંચમા આવશ્યક રૂપે બેઠવાએલ છે; તેમજ અત્યંતર તપના છ પ્રકારમાં પણ તેનું સ્થાન છે. અન્ય આર્ય-ધર્મોમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ ધારણાની ભૂમિકાવાળું ધ્યાન–ને જેવું મહત્ત્વ અપાયું છે તેવું સૂ. ૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy