SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દ૬ : ષદર્શન સુબાધિકા સપ્તમભંગ– જ્યારે પદાર્થના એક અંશની સ્વસ્વરૂપે અસ્તિપણાની વિવેક્ષા હોય, અન્ય એક અંશની પરસ્વરૂપે નાસ્તિપણાની વિવક્ષા હેય, અને શેષ અંશની અવક્તવ્ય સ્વરૂપે વિવેક્ષા હોય ત્યારે આ ભંગ બને છે. સપ્તભંગી પ્રત્યેક ભાંગામાં સકલાદેશ અને વિકલાદેશ સ્વભાવવાળી હોય છે. સકલાદેશને પ્રમાણ વાક્ય કહેવામાં આવે છે. અર્થાત તત્વથી પર્યાયનયની અપેક્ષાએ એક જ વસ્તુમાં અસ્તિત્વ આદિ ધર્મોની અભેદવૃત્તિને અસંભવ છે. તેથી કાલ આદિના ભેદથી અસ્તિત્વ આદિ ધર્મો ભિન્ન હોવા છતાં પણ તેમાં અભેદભાવને ઉપચાર થાય છે. તેથી દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી અભેદવૃત્તિ અને પર્યાયાર્થિક નયની મુખ્યતાથી અભેદના ઉપચારથી પ્રમાણ દ્વારા જ્ઞાત અનંત ધર્મ સ્વરૂપે વસ્તુનું એકી સાથે પ્રતિપાદન કરવાવાળા વાક્યને સકલાદેશ અર્થાત પ્રમાણુવાક્ય કહેવામાં આવે છે. તેમજ એક નય દ્વારા જાણેલ વસ્તુને ભેદવૃત્તિથી અથવા ભેદના ઉપચારથી ફ્રેમપૂર્વક નિરૂપણ કરવાવાળા વાક્યને વિકલાદેશ અથવા નયવાક્ય કહેવામાં આવે છે. આ સપ્તભંગી, એનું વાસ્તવિક અધ્યયન કરનાર આત્મા પદાર્થના કેઈપણ જાતના સ્વરૂપમાં મુંઝાતું નથી, અને પદાર્થનું સર્વાગીણ સ્વરૂપ તે સમજી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy