________________
૨૩૨ ઃ વદર્શન સુબાધિકા પદાર્થને માનતા નથી. ચૈતન્ય આત્માને ધર્મ છે પણ આ ચૈતન્યને સંબંધ શરીરને લીધે હોવાથી શરીરને જ આત્મા માનવે જોઈએ તેમ તેઓ માને છે. શરીરના નાશ સાથે ચૈતન્યને નાશ થાય છે. આ ઉપરાંત તેઓ પુણ્ય, પાપ, સ્વર્ગ આદિને માનતા નથી. સ્વાભાવિક રીતે જગતની સૃષ્ટિ તથા પ્રલય થતું હાવાથી ઈશ્વરને પણ માનવાની જરૂર નથી તેમ તેઓ કહે છે. " સંક્ષેપમાં આ માનવજીવનમાં જેટલું સુખ ભેગવાય તેટલું સુખ જોગવી લેવું જોઈએ. સુખ એ જ જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. ધર્મ અને મોક્ષને જીવનનું લક્ષ્ય ન માનતાં અર્થને કામનું સાધન માની જીવન વિતાવવું જોઈએ માટે શરીરને તપસ્યાથી દુઃખિત ન કરતાં ભેગથી સુખી રાખવું જોઈએ.
at
=
=
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org