SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ : ષડ્રદર્શન સુબાધિકા ઉત્તર સાંખ્યદર્શન આ પ્રમાણે આપે છે—ઉત્પત્તિ પહેલાં કાર્ય કારણમાં અવ્યક્ત રૂપથી રહે છે. આ પ્રમાણે કાર્ય અને કારણમાં વસ્તુતઃ અભેદ છે. કાર્યની અવ્યક્ત અવસ્થાનું નામ કારણ છે, અને કારણની વ્યક્ત અવસ્થાનું નામ કાર્ય છે. આ સત્કાર્યવાદની પુષ્ટિ માટે સાંખ્યકારિકામાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે. असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । શક્ય શવયર રામાવાર સત્ કાર્યમ્ | અર્થાત્-કારણું વ્યાપારની પૂર્વે પણ કાર્ય કારણમાં વિદ્યમાન રહે છે, કારણ કે અસત હોવાથી કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યની ઉત્પત્તિ માટે તેના ઉપાદાન કારણનું ગ્રહણ અવશ્ય કરવું પડે છે. અર્થાત્ કાર્ય પિતાના ઉપાદાન કારણની સાથે નિયત-રૂપથી સંબંધિત હોય છે. બધાં કાર્ય બધા કારણથી ઉત્પન્ન થઈ શક્તા નથી, જે કારણે જે કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, તેનાથી તે જ કાર્યની ઉત્પત્તિ થાય છે અને કાર્ય કારણમક અર્થાત કારણથી અભિન્ન અથવા તેના સ્વરૂપનું હોય છે. આથી એ સિદ્ધ થાય છે કે-જે કાર્ય ખરેખર કારણમાં રહેતું ન હોય તે કેઈપણ પ્રયત્નથી તેને આવિર્ભાવ થઈ શકે જ નહિ. શું રેતીમાંથી તેલ નીકળી શકે ખરું? તલને પીસવાથી જ તેલ નીકળે છે, કારણકે તલમાં તેલ છે અને રેતીમાં તેલ નથી. વળી, દૂધમાંથી જ દહીં થાય, માટીમાંથી નહીં. આ રીતે સાંખ્યદર્શન નિર્ણય ઉપર આવે છે કે કાર્ય પણ કારણમાં પહેલેથી જ અવ્યક્ત અવસ્થામાં રહેલું હોય છે. ધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy