SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ : ષડૂદન સુખાધિકા પ્રમાણે છે. ચિત્ત ( જીવા) અને અચિત્ તત્ત્વ ( જડ ) એ અને ઇશ્વરનાં શરીર કે વિશેષણા છે. કારણ કે ઈશ્વર વિશેષ્ય છે. ચિદચિદ્વિશિષ્ટ ઈશ્વર એક જ તત્ત્વ છે. આને જ વિશિષ્ટા દ્વૈત કહેવામાં આવે છે. આ મતમાં પ્રમાણેા ત્રણ જ છે. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. પ્રમેયના બે ભેદ છે દ્રવ્ય અને અદ્રવ્ય. તેમાં પણ દ્રવ્ય એ જાતનુ ચેતન અને જડે. અદ્રવ્ય, સત્ત્વ, રજ, તમ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સ ંચાગ અને શક્તિ એ રીતે દશ પ્રકારનુ' છે, આ મતમાં ઇશ્વર જગતના કારણરૂપ ઇશ્વરમાં સર્વેશ્વર પણું, સ કમથી આરાધ્યપણું, સ ફુલપ્રશ્નપણુ અને સ કાર્યનું ઉત્પાદક પણ છે. તે વિભુ છે, અનંત છે, ડૈશ્વય સંપન્ન છે. આ મતમાં પ્રત્યકત્વ, ચેતનત્વ, આત્મત્વ, કતૃત્વ વગેરે લક્ષણા ઇશ્વર અને જીવમાં સાધારણ છે પણ જીવ અણુ છે, દેહ, ઇન્દ્રિયા, મન અને પ્રાણથી ભિન્ન છે, નિત્ય છે, પ્રતિ શરીર ભિન્ન છે. ઉપાધિને લીધે સંસારી છે, કર્યાં છે, ભેાક્તા છે. આ જીવમાં સ્મૃતિ, સંશય આદિ ગુણેા રહેલા છે. આ મતમાં ત્રિગુણા પ્રકૃતિ, કાળ, જીવ વગેરે જે ઈશ્વરનુ શરીર તે નિત્ય છે અને જીવતું આ દેખાતું સ્થૂળ શરીર તે અનિત્ય છે. 1 . અન ંત કલ્યાણ ગુણવાળા ભગવાન ભક્તિ અને પ્રપત્તિથી પ્રસન્ન થઈને મેક્ષ આપે છે, માટે ભક્તિ અને પ્રપત્તિ મેાક્ષને For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy