SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્રદર્શન સુબાધિકા : ૧૩૭ વિશ્વાસને અભાવ, પ્રમાદ ને આળસ, અવિરતિ, બ્રાનિદર્શન, અલબ્ધભૂમિકત્વ, અનવસ્થિતત્વ આદિ. આ બધા વિઘોને દૂર કરવા માટે કે આવે જ નહિ તેની સાધકે સાવધાની રાખવી જોઈએ. વિશેષ કરીને શરણાગત, નમ્ર ને ભક્તિભાવથી ભરેલે સાધક સદાય સલામત રહે છે, માટે જ પ્રેમમાં ડૂબીને પ્રાર્થના કરતાં તે કહે છે કે–હે પ્રભુ હું તે નિર્બળ છું પણ તમે તે બળવાન છે, માટે મારી સારી પેઠે સંભાળ રાખજે એવા ભક્તની સંભાળ ઈશ્વર રાખે જ છે. બીજા પાદમાં ચંચલ ચિત્તવાળાઓ માટે તપ, સ્વાધ્યાય પ્રકૃતિ, ક્રિયાયોગ અને યમ, નિયમાદિ બહિરંગ સાધનેનું વર્ણન કરવામાં આવેલ છે. અહીંયા તપ શબ્દથી કલેશકારક તપને બોધ થતું નથી, કારણ કે તેવા તપથી તે ચિત્ત એકાગ્ર રહી શકતું નથી, આથી અહીંયા તપને અર્થ છે હિતકારક, સ્વલ્પ અને સાત્વિક ભેજન તથા શીતષ્ણ સુખ–દુખાદિ કંઢોનું સહન કરવું અને ઈન્દ્રિયોને નિરોધ. યેગમાં તપ પ્રસન્નતાનું કારણ હોય છે, પીડાનું નહીં. સ્વાધ્યાયને અર્થ છે મેક્ષ શાસ્ત્રનું અધ્યયન અથવા નિયમપૂર્વક પ્રણય આદિને જપ, ઈશ્વર પ્રણિ ધાન એટલે પરમાત્માનું અનુચિંતન અને બધા કર્મોનું પરમાત્મામાં સમર્પણ. આનાથી મમતાને અંશ પણ રહેતો નથી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ બહિ રંગ સાધન છે. યમ પાંચ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ પણ પાંચ છે. શૌચ, સંતોષ, તપ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy