SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ : ષડૂદશન સુમેાધિકા વસ્તુ અને જ્ઞાન વચ્ચે ભેદ નથી, તેથી જ્ઞાન સિવાય બીજી ક્રાઈ વસ્તુ નથી, આથી આને વિજ્ઞાનવાદ પણ કહેવામાં આવે છે. જો વસ્તુ ધડો છુ ઘટ-પટ (૩) સૌત્રાંતિક-ખાહ્યાનુમેયવાદ : આ વાદ ચિત્ત તથા બાહ્ય જગત ખન્નેને પણ માને છે. જો ખાદ્ય પદાર્થ માનવામાં નહિ આવે તે તેની ખાતરી થવી મુશ્કેલ છે. આ વાદ માને છે કે જ્યારે ઘટ પ્રત્યક્ષ થાય છે ત્યારે ઘટ નામના પદાર્થ બહાર છે અને જ્ઞાન અ ંદર છે, તેથી વસ્તુ જ્ઞાનથી ભિન્ન છે. જ્ઞાનથી ભિન્ન ન હેાય તા જોનારે કહેવુ જોઈએ કે તેમ કહેવુ જોઈએ અને જો ખાદ્ય પદાર્થ ન હોય તા મઠમાં ભેદ પ્રતીત થવા ન જોઇએ. આથી સિદ્ધ થાય છે કે ખાદ્ય પદાનું અસ્તિત્વ જ્ઞાનથી ભિન્ન છે જ્ઞાન થવા માટે ચાર પ્રકારના કારણે। માનવામાં આવે છે : આલેખન, સમનન્તર, અધિપતિ અને સહકારી. આ ઉપરાંત આલેક, આકાર આદિ સહકારી કારણેા પણ જ્ઞાન થવામાં સહાયક હોય છે. જ્ઞાનના આકાર જ્ઞાન વસ્તુની અનુસાર જ ડાય છે. બાહ્ય વસ્તુનુ જ્ઞાન વસ્તુજનિત માનસિક આકારોથી અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે, એટલા માટે આ મતને બાહ્યાનુમેયવાદ પણ કહેવામાં આવે છે. સૂત્રપિટક જ આ મતના મુખ્ય આધાર છે. આથી આને સૌત્રાંતિક કહે છે. આ વાદના આચાર્યાં તરીકે કુમારલાત, શ્રીલાર, ધમ ગાતના વિશેષ ઉલ્લેખ છે. (૪) વૈભાષિક-બાહ્ય પ્રત્યક્ષવાદ : સૌત્રાંતિકવાદની માફક આ વાદની માન્યતા છે પણ તફાવત એટલે છે કે આ વાદ પ્રત્યક્ષ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy