SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. આ પ્રમાણે આમાં મોટો ભેદ છે. તેથી કહેવાનો આશય એમ છે કે જયાં સુધી નિર્વાણ ન થાય ત્યાં સુધી વ્રત તપ આદિમાં પ્રવર્તન કરવું શ્રેષ્ઠ છે, તેનાથી સંસારિક સુખની પ્રાપ્તિ થાય છે અને નિર્વાણને સાધવામાં પણ તે સહકારી છે. વિષય કષાય આદિની પ્રવૃત્તિનું ફળ તો કેવળ નરક આદિના દુઃખ છે. તે દુ:ખોના કારણોનું સેવન કરવું તે તો મોટી ભૂલ છે, તેમ જાણવું. તેમ છતાં વ્રત, તપમાં ધર્મ માની ત્યાં વટેમાર્ગુની માફક ઝાડના છાયા નીચે સદા માટે અટકી ન જવું. ૨૧૮ સંસાર-અર્ણવ રુદ્રથી નિ:સરણ ઇચ્છે જીવ જે, ધ્યાવે કરમ-ઇન્ધન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬. સંસાર-અર્ણવ રુદ્રથી=ભયંકર સંસારસમુદ્રથી. નિ:સરણ=બહાર નીકળવું તે. કરમ-ઈન્ધન તણા દહનાર=કર્મરૂપી ઈંધણાંને બાળી નાખનાર. ગાથા—૨૬ નિર્વાણની પ્રાપ્તિ કર્મનો નાશ થાય ત્યારે થાય છે, અને કંર્મનો નાશ શુધ્ધાત્માના ધ્યાનથી થાય છે. શુધ્ધાત્માના ધ્યાનરૂપી અગ્નિ જ કર્મરૂપી ઈંધનને બાળવા માટે સમર્થ છે તેથી જે સંસારમાંથી નીકળી મોક્ષની ઈચ્છા કરે છે તે શુધ્ધ આત્માનું ધ્યાન કરે છે. મુમુક્ષુનું એકમાત્ર પરમ કર્તવ્ય નિજ શુધ્ધાત્માનું ધ્યાન જ છે. મોક્ષનો ઉપાય તેના સિવાય બીજો કોઇ નથી. ૨૧૯ દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા, ને જાણનાર ન દશ્યમાન; હું બોલું કોની સાથમાં? ૨૯. ન દૃશ્યમાન દેખાતો નથી. ગાથા—૨૯ દેહાદિ જે રૂપી પદાર્થો દેખાય છે તે તો જડ છે અને તેમાં જાણવાની કે દેખવાની શક્તિ નથી તેથી તે કાંઈ જાણતા કે દેખતા નથી, જયારે હું તો શાક, ચેતન અને અરૂપી છું. અરૂપી હોવાથી બીજાને જણાતો નથી, તેથી હું કોની સાથે બોલું? તેથી હું મૌન છું. Jain Educationa International ૧૫૨ For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy