SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું; ભોક્તાપણું તો જીવને ચેતકપણે તફળ તણું. ૬૮. ગાથા ૬૮ :- તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ (દ્રવ્યકમ) કર્તા છે (-નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા; પરંતુ તે ભોક્તા નથી). ભોક્તા તો (માત્ર) જીવ છે ચેતકભાવને લીધે કર્મફળનો. ૧૨૮ બે ભાવ-જીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમજ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ - પદાર્થ છે. ૧૦૮. ગાથા ૧૦૮ :- જીવ અને અજીવ-બે ભાવો (અર્થાત્ મૂળ પદાર્થો) તથા તે બેના પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ-એ (ઉત્તર સાત) પદાર્થો છે. ૧૨૯ રે! ઈંદ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે; છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. ગાથા ૧૨૧ :- (વ્યવહારથી કહેવામાં આવતા એકેદ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવો’માં) ઈંદ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૧૪૬, ૧૪૭ અને પંચાસ્તિકાય સંગ્રહ ગાથા ૩૦). ૧૩૦ જાણે અને દેખે બધું, સુખ અભિલષે; દુખથી ડરે, હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨. ગાથા ૧૨૨ :- જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુ:ખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. ૧૩૧ સુખદુઃખ સંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે, ૧૨૫. ગાથા ૧૨૫ :- સુખદુ:ખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય-એ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણો અજીવ કહે છે. ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy