________________
૧૨૭
તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું; ભોક્તાપણું તો જીવને ચેતકપણે તફળ તણું. ૬૮.
ગાથા ૬૮ :- તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ (દ્રવ્યકમ) કર્તા છે (-નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા; પરંતુ તે ભોક્તા નથી). ભોક્તા તો (માત્ર) જીવ છે ચેતકભાવને લીધે કર્મફળનો.
૧૨૮
બે ભાવ-જીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમજ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ - પદાર્થ છે. ૧૦૮.
ગાથા ૧૦૮ :- જીવ અને અજીવ-બે ભાવો (અર્થાત્ મૂળ પદાર્થો) તથા તે બેના પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ-એ (ઉત્તર સાત) પદાર્થો છે.
૧૨૯
રે! ઈંદ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે; છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧.
ગાથા ૧૨૧ :- (વ્યવહારથી કહેવામાં આવતા એકેદ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવો’માં) ઈંદ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૧૪૬, ૧૪૭ અને પંચાસ્તિકાય સંગ્રહ ગાથા ૩૦).
૧૩૦
જાણે અને દેખે બધું, સુખ અભિલષે; દુખથી ડરે, હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨.
ગાથા ૧૨૨ :- જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુ:ખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે.
૧૩૧
સુખદુઃખ સંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે, ૧૨૫.
ગાથા ૧૨૫ :- સુખદુ:ખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય-એ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણો અજીવ કહે છે.
૧૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org