SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ લુહારીનું કામ શીખતો. બધા પોત-પોતાના કામમાં લાગેલા હતા. શિક્ષણનું સ્તર વધ્યું તેની સાથો-સાથ સામાજિક પરિવેશમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. ભણીગણીને લોકો પોતાના પૂર્વજોના વ્યવસાયથી દૂર થતા ગયા. પછી પરમ્પરાગત વ્યવસાયમાં જોડાવા માટે સંકોચ થવા લાગ્યો. ગામ શહેર તરફ ભાગવા લાગ્યું. આ બધું વર્તમાન શિક્ષણની દેન છે. સુરક્ષા અને સહયોગ એક પ્રશ્ન છે સુરક્ષા અને સહયોગનો. સુરક્ષા કોણ કોની કરે છે? આ સંસારમાં કોઈ કોઈની સુરક્ષા નથી કરતું. સૌની પોત-પોતાના સ્વાર્થની સુરક્ષા છે. સ્વાર્થ વિના બાપ બેટાની સુરક્ષા નથી કરતો, બેટો બાપની સેવા નથી કરતો. આ સ્વાર્થવૃત્તિ ક્યારે મટશે? આ સંસારમાં જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ રહેશે, આ બાબતો રહેવાની. અબજોની સંપત્તિ જેની પાસે છે તે મરવાની અવસ્થામાં આવવાથી ખોળે લીધેલો દીકરો કહે છે– બોલાવી તો રહ્યા છે; શું શેઠજી ખરેખર મરવાની સ્થિતિમાં છે, મરણાસન સ્થિતિમાં હોય તો આવું, નહિ તો મને ફુરસદ નથી. મરણાસન શેઠજી પાસે કોઈ માખી ઉડાડવાવાળું પણ નથી. કોણ કોની સુરક્ષા કરે છે? ધન્ય છે આપણા ગુરુદેવો, જેમણે આપણને સુરક્ષા પ્રત્યે નિશ્ચિત્ત બનાવ્યા છે. નાનામાં નાના અને નકામા સાધુની પણ સેવા કરવામાં આવે છે. શા માટે કરવામાં આવે છે? ગુરુને પ્રસન્ન કરવા માટે નહિ, નિર્જરા માટે. દુષ્કાળની સ્થિતિમાં જ્યારે પશુધન સમાપ્ત થવા લાગે છે ત્યારે ચારે બાજુથી તેમની સુરક્ષા અને ઘાસચારાના પ્રબન્ધ માટે અવાજ ઊઠે છે. કોના માટે? પશુઓ માટે નહિ, પોતાને માટે. પશુઓ મરી જશે તો દૂધ-દહીં, માખણ ક્યાંથી મળશે? ખેતી કોનાથી થશે? બધો સ્વાર્થનો મામલો છે. અકાળ-દુષ્કાળ તો ક્યારેક-ક્યારેક પડે છે. માણસોનો દુષ્કાળ તો દરરોજ ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો કરોડો લોકો ખોરાક-પાણી માટે તલસી રહ્યા છે. એમના માટે ખરેખરી કોઈ ચિન્તા નથી થઈ રહી, કૃત્રિમ ચિન્તા અવશ્ય થઈ રહી છે. સમાધાન સૂત્ર આ સમસ્યાનાં બે જ સમાધાન છે. પહેલું સમાધાન એ છે કે સ્વયં પોતાના વિચારોથી ગરીબ અને દરિદ્ર ન બનો. બીજું સમાધાન એ છે કે એ વાતનું શિક્ષણ આપવામાં આવે કે એકલા આગળ વધવાની કોશિશ કરશો તો તે સ્વાર્થવૃત્તિથી તમને ઘણું નુકસાન થશે તેથી તેમ ન કરો. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005313
Book TitleMahavirnu Arthashastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy