SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ T સત્યમેવ જયતે લાલાની શબ્દની પોતાની સંસ્કૃતિ છે, પરંપરા છે, ઇતિહાસ છે. અવારનવાર શબ્દોનો ઉપકર્ષ અને અપકર્ષ પણ થતો રહે છે. કેટલાક શબ્દ એવા છે કે જે કોઈ યુગમાં ગૌરવના પ્રતીક ગણાતા. પરંતુ આજે પોતાની ગરિમા ખોઈ ચૂક્યા છે. કેટલાક શબ્દો યુગના આઘાતો સહન કરીને પણ આજે જીવી રહ્યા છે. તેમની અસ્મિતા માનવ સંસ્કૃતિ સાથે ગુંથાયેલી છે. તેઓ જીવનનો મંત્ર બની જાય છે અને માનવીની મૂચ્છિત ચેતનામાં નવા પ્રાણનો સંચાર કરે છે. જય, વિજય વગેરે શબ્દો ભારતીય સંસ્કૃતિમાં વિશેષ શબ્દો છે. ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં આ શબ્દોને મંગલના પ્રતીક માન્યા છે. પ્રાચીન કાળમાં રાજ્યાભિષેકના સમયે જય-વિજય વગેરે શબ્દોથી વધપિનની પરંપરા પ્રચલિત હતી. યુદ્ધમાં વિજયી રાજાઓના સ્વાગત-સન્માનમાં પણ આ શબ્દોનો પ્રયોગ થતો હતો. ધર્મસાધનાની સ્વીકૃતિનો પ્રસંગ હોય કે આચાર્યપદના અભિષેકનો સમય હોય, “જય-જય નંદા !' “જય-જય ભદ્દા !' “જય-જય નંદા ભદ્દે તે,’ ‘અજિયં જિણાહિજિયં પાલયાતિ,' “જિયમઝે વસાહ' વગેરે વાક્યો જૈન આગમોમાં પ્રયોજાયો છે. શબ્દમાં શક્તિ હોય છે તે વૈજ્ઞાનિક શક્તિ છે. મંત્રોનો પ્રભાવ શબ્દશક્તિના કારણે જ છે. શબ્દના શુદ્ધ ઉચ્ચારણથી તેમની શક્તિ વધે છે. ધ્વનિતરંગોના માધ્યમથી માત્ર સંવાદ-સંપ્રેષણ જ નથી થતું, ચિકિત્સા પણ થઈ શકે છે. કેટલાંક વિશેષ શ્રમસાધ્ય કાર્યોના સંપાદનમાં શબ્દશક્તિનો પ્રયોગ કરવાથી ઉત્સાહ અને મનોબળની વૃદ્ધિ થાય છે. કેટલાક શબ્દપ્રયોગો એવા પણ હોય છે જે મનોબળને તોડે છે અને વ્યક્તિને અસફળ બનાવે છે. આ દષ્ટિએ શબ્દપ્રયોગના સમયે વિશેષ સાવધાનીની અપેક્ષા રહે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy