________________
બીજી બાજુ સઘળી સમસ્યાઓનું મૂળ પરિગ્રહ માનવામાં છે. મહાવીરે કહ્યું, “ણ એન્થ તવો વા દમો વા શિયમો વા કિસ્સતિ' - પરિગ્રહમાં આસક્ત માનવીને ન તો તપ હોય છે, ન શાંતિ હોય છે અને ન નિયમ હોય છે. જૈન શ્રાવક અને યુદ્ધ
અર્થનો અનર્થનું મૂળ માનવા છતાં તેને છોડી શકાતું નથી. કારણ કે તે સમાજ માટે આવશ્યક છે, ઉપયોગી છે. અર્થ હશે ત્યાં સુધી હિંસાથી છૂટકારો નહીં મળી શકે. અર્થ હોય અને હિંસા ન હોય એ કઈ રીતે સંભવી શકે ? ઈ.સ. ૧૯૬૫માં હિંદુસ્તાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. તે સમયે અમે દિલ્હીમાં હતા. વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકો અમારી પાસે આવીને કહેવા લાગ્યા, “આચાર્ય શ્રી ! પાકિસ્તાને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું છે. આપ અહિંસક છો. આપને માટે તો આ સમય ભારે સંકટનો ગણાય. હવે શું થશે ?' મેં કહ્યું, “સંકટ તો સમગ્ર દેશ ઉપર છે. તેમાં આપ અને અમે અલગ
ક્યાં રહીએ છીએ ?' પ્રોફેસરે કહ્યું, “જેને લોકો અહિંસામાં માને છે. યુદ્ધમાં તેમની ભૂમિકા શી હોઈ શકે ?” 1 તેમના કથનનો અભિપ્રાય સમજીને મેં જવાબ આપ્યો, “જૈન લોકો અહિંસામાં વિશ્વાસ ધરાવે છે એ વાત સાચી. પરંતુ શું તમામ જેન સંન્યાસી છે ? તેઓ દેશમાં રહે છે. પોતાનાં બાળકો-પરિવાર સાથે રહે છે. તેમની પાસે જમીન જાયદાદ છે. તેઓ વ્યવસાયી છે. તેઓ પોતાની અને પોતાના દેશની સુરક્ષા નહીં કરે શું ?” પ્રોફેસરે પૂછ્યું, “શું જેને લોકો મોરચા ઉપર જઈ શકે ખરા? યુદ્ધમાં ભાગ લઈ શકે ખરા?' મેં કહ્યું, “આપ કેવી વાત કરી રહ્યા છો ? એમ લાગે છે કે આપને ઇતિહાસનું જ્ઞાન નથી. જેન સમ્રાટો થયા છે. સેનાપતિઓ થયા છે. તેમણે અનેક યુદ્ધો લડ્યાં છે. પરંતુ તેમના યુદ્ધમાં એક સીમા હતી- અનર્થ હિંસા ન થાય, અનાવશ્યક હિંસા ન થાય.” આ વાત તેમને સમજાઈ ગઈ. યુદ્ધનાં પ્રાચીન અને અર્વાચીન કારણો
અર્થની સાથે હિંસાની વાત કોઈ નવી અવધારણા નથી. જ્યારે પણ અને જ્યાં પણ અર્થની સીમાનું અતિક્રમણ થયું છે, ત્યાં હિંસાને ભડકવાની તક મળી છે. પ્રાચીન કાળમાં યુદ્ધનું મુખ્ય કારણ અર્થ અને પરિગ્રહને જ માનવામાં આવતું હતું. તે માન્યતાને એક કવિની
કાકાસાહe નવું દર્શન નવોસમાજ રાણરાયટીeણાટક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org