________________
જેમની સામે પોતાના-પારકા જેવી ભેદરેખા નથી હોતી, જેમના અંતઃકરણમાં પરાર્થ અને પરમાર્થની ભાવના હિલોળા લેતી હોય છે, જેઓ નામ અને પ્રતિષ્ઠાની આકાંક્ષાથી મુક્ત હોય છે. પરંતુ આવા લોકોની સંખ્યા કેટલી છે ? આટા (લોટ)માં નમક જેટલી પણ આવી વ્યક્તિઓ નથી હોતી. આ પ્રતિસ્રોતનો માર્ગ છે. તેના ઉપર ચાલવાનું ભારે મુશ્કેલ છે. આ આદર્શની વાત છે. કોઈનામાં આદર્શ ઉપસ્થિત કરવાની ક્ષમતા ન હોય તો તેની હત્યા તો ન જ થવી જોઈએ. સહયોગની વાત ન થાય તો કોઈને દીનહીન તો ન જ બનાવી શકાય. વધારાના વૈભવનું પ્રદર્શન કરીને કોઈને માનસિક રીતે પ્રતાડિત તો ન જ કરવો જોઈએ. બેકારી અને શિક્ષણ
સમસ્યાના બીજા છેડા ઉપર બેકારીનું દર્શન થાય છે. એક સમય એવો હતો કે જ્યારે દેશમાં બેકારીની સ્થિતિ નહોતી. નાના મોટા સહ કોઈ લોકો પોતપોતાનો વ્યવસાય કરતા હતા. ખેડૂતો ખેતી કરતા હતા. સુથાર લાકડાનું કામ કરતા હતા. કુંભાર માટીનાં વાસણો બનાવતા હતા. લુહાર લોખંડની ચીજો બનાવતા હતા. સોની સોના-ચાંદીનું કામ કરતા હતા. વાણિયાઓ વેપાર કરતા હતા. એ જ રીતે નાયી, ધોબી, હરિજન વગેરે પોતપોતાના પરંપરાગત વ્યવસાય કરતા હતા. આવા વ્યવસાય પેઢી દર પેઢી આગળ ચાલતા હતા અને તેમાં ઉત્તરોત્તર નિપુણતા મળતી જતી હતી. પરંતુ આજે ખેડૂત, સુથાર, કુંભાર, લુહાર, સોની વગેરેના પુત્રો કોલેજમાં ભણે છે. તેઓ સ્નાતક અને સ્નાતકોત્તર પરીક્ષાઓ પાસ કરે છે. તેમની આકાંક્ષા ડોક્ટર, એન્જિનીયર, પ્રબંધક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમજ કંપનીના સચિવ બનવાની હોય છે. આમાનું કંઈ ન બની શકાય તો છેવટે ક્લાર્ક બનવાની વાત તો તેઓ ભૂલી શકતા નથી. કારણ કે પોતાના વારસાગત વ્યવસાય સંભાળવામાં તેમને શરમનો અનુભવ થાય છે. આવા લોકો ન ઘરના રહે છે ન ઘાટના. તેમની પાસેથી પારંપરિક વ્યવસાય તો છૂટી જાય છે અને તેમને સરકારી નોકરી મળી શકતી નથી. આવા સંજોગોમાં બેકારી ન વધે તો બીજું શું થાય ?
બેકારી વધારવાની જવાબદારી આપણી શિક્ષણપ્રણાલિ ઉપર આવે છે. શિક્ષણ ક્લાર્કો તૈયાર કર્યા છે, ઓફિસર પેદા કર્યા છે,
ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org