________________
શકાય છે. અમારું એક જ લક્ષ્ય છે કે જે દેશમાં આપણે રહીએ છીએ, જે દેશના લોકો સાથે આપણો સંબંધ છે, તે દેશનાં બાળકોને સંસ્કારી બનાવવાં જોઈએ. જે દેશનાં બાળકો સંસ્કારી હશે, તે જ દેશ જગતમાં પોતાની છબી ઉજ્જવળ બનાવી શકશે. ચરિત્રનું પ્રમાણપત્ર
એક સમય એવો હતો કે જ્યારે ભારત અધ્યાત્મના ક્ષેત્રમાં વિશ્વનો ગુરુ ગણાતો હતો. ભારતીય લોકો પાસેથી ચરિત્રનું શિક્ષણ લેનારા પોતાને ગૌરવશાળી માનતા હતા. આજે તે ભારતની આધ્યાત્મિક શક્તિઓ કુંઠિત કેમ બની ગઈ ? ભારતીય ઋષિમુનિઓની સાધનાનું તેજ ક્ષીણ કેમ થઈ ગયું ? ભારતીય અધ્યાત્મનો વિદેશોમાં પ્રચાર કરનારા સંતો-મહાત્માઓ ત્યાં પહોંચીને ભૌતિકવાદી કેમ બની ગયા ? કોઈપણ વિચાર કે પ્રયોગ
જ્યાં સુધી વિદેશમાંથી આયાત નથી થતો ત્યાં સુધી તે ભારતમાં પ્રતિષ્ઠા પામતો નથી. આવી માનસિકતાનું કારણ શું ? આવા અનેક પ્રશ્નો છે, જે ભારતીય ગરિમાને ઘેરીને ઊભા છે. તે ઘેરાને તોડવા માટે સમગ્ર દેશે જાગવું પડશે. જાગરણની દિશાઓ ખોલવાનું અભિયાન ચલાવવું પડશે. આ દૃષ્ટિએ બીજું કોઈ વિચારે કે ન વિચારે, જાગરણનું અભિયાન ચલાવે કે ન ચલાવે પરંતુ અમે અમારી મર્યાદામાં કામ કરવા માટે સંકલ્પિત છીએ. તે સંકલ્પની નાનકડી નિષ્પત્તિ એટલે જીવનવિજ્ઞાન.
જીવનવિજ્ઞાનનો જે અભ્યાસક્રમ તૈયાર થયો છે તેમાં અમે અમારાં દષ્ટિ અને અનુભવોનો વ્યાપક ઉપયોગ કર્યો છે. આ વિષયમાં અમારો કોઈ આગ્રહ નથી. મેં જે કાંઈ કર્યું છે તેને અંતિમ માનીને ચિંતનનો માર્ગ બંધ નથી કર્યો. શિક્ષણની દષ્ટિએ મૌલિક વિચાર રજૂ કરનાર કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાનાં સૂચનોનું અમે સ્વાગત કરીએ છીએ. ક્યાંય કશુંક જડવું હોય તો અમને કોઈ મુશ્કેલી નથી. વિદ્યાર્થીના સવÉગીણ વ્યક્તિત્વનું નિર્માણ શિક્ષણની સૌથી મોટી ઉપલબ્ધિ છે. પંદર-વીસ વર્ષો સુધી વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની પરિક્રમા કરીને ત્યાંથી વિદાય લેતી વખતે ઉપાધિઓનાં પ્રમાણપત્રો મેળવી લેવાં તે શિક્ષણનો સાર્થક ઉદ્દેશ નથી. શિક્ષણની સાર્થકતા ચારિત્રિક ઉજ્જળતાનું પ્રમાણપત્ર છે. તે પ્રમાણપત્ર માત્ર કાગળનો ટુકડો જ નહીં હોય,
ઊજળા ભવિષ્યનું આશ્વાસન ૯ ૧૯૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org