________________
મહાવીરના અર્થશાસ્ત્ર વિષયક ૮ લેખો છે. આ ચાર વર્ગોની સામગ્રી વ્યક્તિને સત્યનિષ્ઠ અને ચારિત્રનિષ્ઠ જીવનની પ્રેરણા આપનારી છે. સત્યની પ્રેરણા જેટલી સુગમ છે, એટલે તેને આત્મસાત્ કરવાનું કઠિન છે. સાધનાના ક્ષેત્રમાં સત્યનો વિજય સ્પષ્ટ છે, પરંતુ વ્યવહારની ભૂમિકા ઉપર સત્યનિષ્ઠાની કસોટીઓ પણ થાય છે. આ વિચારનો સાક્ષાત્કાર કરાવનાર પ્રસ્તુત કૃતિનો અંતિમ લેખ છે. “સત્યમેવ જયતે'. અંતે કહેવાયેલી વાત મનને વિશેષ પ્રભાવિત કરે છે. આ કારણે જ તેને અંતે મૂકવામાં આવી છે. આમ સવશે એ સ્વીકારી શકાય છે કે મહાવીરદર્શનના આધારે સ્વસ્થ જીવન જીવવા ઈચ્છતા લોકો માટે આ કૃતિ સમગ્ર માર્ગદર્શન છે. આ વાંચનારને એવો અનુભવ નહીં થાય કે આ પુસ્તક કોઈ જાતિવિશેષ, સંપ્રદાયવિશેષ, કાલવિશેષ, વયવિશેષ, વગવિશેષ કે દેશવિશેષ માટે લખવામાં આવ્યું છે. તેની સાર્વજનિનતા જ તેના સર્જન, સંપાદન અને મુદ્રણની સાર્થકતા છે. લાડનું
સાધ્વીપ્રમુખાકનકપ્રભા ૧ મે, ૧૯૬.
XII
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org