________________
અમે દિલ્હી ગયા. ડાબડીવાલજી દર્શન કરવા માટે આવ્યા. તેઓ માનસિક દૃષ્ટિએ તૂટી રહ્યા હતા. અમે તેમને એક મંત્રનો જપ ક૨વાનો પરામર્શ આપ્યો. તેમણે મંત્રને પકડી લીધો. આખો દિવસ પંત્રનો જાપ કરે. જીવનનું ખાલીપણું ટળી ગયું. ત્યારબાદ તેઓ પ્રસન્નતાથી છલકાઈ ગયા.
આ પ્રસંગોની ચર્ચાનો એક જ ઉદ્દેશ છે કે માનવીનો દૃષ્ટિકોણ બદલાય. તેની સામે જીવનભર એક જ સ્થિતિ રહે, એક જ કામ રહે, એમ વિચારવું ખોટું છે. સમયાનુસાર કાર્ય-પરિવર્તનના સિદ્ધાંતને માન્ય કરનાર વ્યક્તિ ક્યારેય નિષ્ક્રિય રહી શકતી નથી.
સમયપ્રબંધનનું સૂત્ર
ભારતીય લોકોની એક નબળાઈ છે સમયની અનિયમિતતા. એ જ કારણે ઉપહાસમાં કહેવામાં આવે છે ઈન્ડિયન ટાઈમ. જ્યારે પણ ભારતીય સમયના સંદર્ભમાં આ વ્યંગ્યોક્તિ સાંભળું છું ત્યારે ક્ષોભ અનુભવું છું. પાશ્ચાત્ય લોકો ‘ટાઈમ મેનેજમેન્ટ’ની બાબતમાં અત્યંત જાગરૂક છે. તેઓ સમયની પૂરી પાબંધી જાળવે છે. જ્યારે જે કામ તેમણે કરવાનું હોય છે તે જ સમયે તેઓ કરે છે. વિદેશી લોકો પ્રેક્ષાધ્યાનનું શિક્ષણ લેવા અહીં આવે છે. તેમણે જેટલા દિવસ રહેવાનું હોય છે તેટલા દિવસની પૂરી દિનચર્યા નક્કી કરી લે છે. ક્રમથી તેઓ પોતાના સમયનો પૂરોપૂરો ઉપયોગ કરી શકે છે. તેથી હું વારંવાર કહું છું કે સમયનું પ્રબંધન શીખવું હોય તો પશ્ચિમના લોકો પાસેથી શીખવું જોઈએ.
આ
સમયની અનિયમિતતાથી માનવીની જીવનશૈલી અવ્યવસ્થિત થઈ જાય છે. ન તો સૂવાનો સમય નિશ્ચિત કે ન તો જાગવાનો સમય નિશ્ચિત ! આવા સંજોગોમાં જાગરણ અને શયનની વચ્ચે થતાં કાર્યો વ્યવસ્થિત થઈ શકતાં નથી. કેટલાક લોકો કહે છે કે, “અમે મોડા ઊંઘીએ છીએ એટલે મોડા ઊઠીએ છીએ. અમારો દિવસ મોડો શરૂ થાય છે, પરંતુ અમે અવ્યવસ્થિત તો નથી. અમારી દૈનિકચર્યા આ જ રીતે ચાલે છે.’ આમ કહેનારા લોકો પોતાની દૃષ્ટિએ કદાચ વ્યવસ્થિત હોઈ શકે ખરા, પરંતુ બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને ક૨વાનાં કાર્યો તેઓ ક્યારે કરશે ? કેવી રીતે કરશે ? જે લોકોને પોતાના જીવન અને સ્વાસ્થ્યની થોડીક પણ ચિંતા છે, તેઓ સમય-પ્રબંધનના સૂત્રને પોતાના હાથમાં રાખે અને ધન્યતાનો અનુભવ કરે.
નવું દર્શન નવો સમાજના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org