SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. સમકિત સયોદ્દાર. ખોલો! પણ આ ઉપરથી અમને તો એમજ જણાયછે કે તે જેમલને અને તેના ઢુંઢકોને સુત્રાર્થનું જ્ઞાનજ નથી, કારણ કે શ્રી અનુયોગદ્વાર મધ્યે કહ્યુંછે કે વ્યમુબનવત્તયપોથયપ્રિય. અર્થ.—દ્રવ્યશ્રુત તે કે જે પાના પુસ્તકને વિષે લખાયછે. તો રે કુમતિો! જો તે વિશે જ્ઞાન લખાયેલું અને લખાતું નહોત તો ગણધર મહારાજા એ પ્રમાણે કેમ કહેતી માટે આ ઉપરથી એટલુંજ સમજવાનુંછે કે તે દિવશે પુસ્તકો હતાં, અઢાર લીપી હતી પણ ફ્ક્ત સમગ્રસુત્રો લખાયેલાં નહોતાં; તે વીર નિર્વાણ પછી (૯૮૦) વર્ષે લખાણાંછે. છેવટ અમે તમોને એટલું પુછીએ છીએ કે તમ કહોછો જે શ્રી વીર પછી (૯૮૦) વર્ષે સુત્રો પુસ્તકાઢ થયાછે તે શા આધારથી કહોછો ? કારણુ કે ખત્રીશ સુત્રોમાં તો તે વાતજ નથી. વળી જેઠમલ ઢક લખેછે કે આઢાર લીપી અક્ષરરૂપે વંદ નીક માનશો તો તમારે પુરાણુ કુરાન વિગેરે સર્વે શાસ્ત્ર વંદનીક થરો” તેનો ઉત્તર...શ્રી નંદીપુત્રમાં અક્ષરને શ્રુતજ્ઞાન કહ્યુંછે, અને જ્ઞાન નમસ્કાર કરવા યોગ્યછે, પરંતુ તેમાં દર્શાવેલો ભાાર્થ કાંઈ વંદન કરવા યોગ્ય નથી. શ્રી નંદીસુત્રમાં કહ્યુંછે કે અન્યદર્શનીના તમામ શાસ્ત્રો જે મિથ્યાશ્રુત કહેવાયછે તે જો સમ્યક્ દ્રષ્ટીના હાથમાંછે તો સભ્યાાસ્ત્રજછે, અને જૈન દર્શનના શાસ્રો જે મિ અાદ્રષ્ટીના હાથમાંછે તો તે મિથ્યા શ્રુતજ છે. માટે અક્ષર વંદના ક્રૂરવી તેમાં કાંઈ પણ ખાધક નથી. આ પ્રશ્નને અંતે જેમલકુમતિએ લખ્યુંછે કે “ જીનવાણી ભાવશ્રુતછે. ” પરંતુ તે લખવું મિથ્યાછે. કારણકે જીનવાણીને શ્રી નંદીસુત્રમાં દ્રશ્યશ્રુત કહીછે, અને શ્રી ભગવતીપુત્રમાં નમોનુગરે ચાપ એ સુત્ર કરીને ગણુધરદેવે જીનવાણીને નમસ્કાર કર્યોછે, તેમજ બ્રાહ્મીલીપી નમસ્કાર કરવા યોગ્યછે. જેમ જીનવાણીછે તે ભાષા ગણાના પુદ્ગળરૂપે દ્રશ્યછે તેમ બ્રાહ્મીલીપી પણ અક્ષરરૂપે દ્રવ્યછે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy