SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. સમિતિ સભ્યો દ્વાર. ૧૦ ગૌતમસ્વામી અષ્ટાપદે ચડ્યા તે વિષે. આ દસમા પ્રશ્નમાં જેઠમલ કુમતિ લખે છે કે “ભગવતે તમ સ્વામીને કહ્યું કે તમે અષ્ટાપદની યાત્રા કરશે તો તમને કેવળજ્ઞાન ઉપજે” આ લખવું મહા અસત્ય છે. શાસ્ત્રોમાં તે એમ લખ્યું છે કે એકદા શ્રી ગતમસ્વામી ભગવંતથી જુદા કોઈ સ્થળે ગયા હતા ત્યાંથી જ્યારે ભગવંતની પાસે આવ્યા ત્યારે દેવતાઓ પરસ્પર વાતે કરતા હતા કે ભગવતિ આજે વ્યાખ્યાનાવસરે એવું કહ્યું છે કે જે ભૂચર પોતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદ પર્વતની યાત્રા કરે છે તે જ ભવમાં મોક્ષગામી થાય. આ વાત સાંભળીને તમસ્વામીએ અષ્ટાપદ જવાની ભગવંતની પાસે આજ્ઞા માગી, ત્યારે ભગવતે ઘણું લાભનું કારણ જાણી આજ્ઞા દીધી; જ્યારે યાત્રા કરી તાપસોને પ્રતિબોધી ભગવંતની સમીપે આવ્યા ત્યારે (૧૧૦) તાપસને કેવળજ્ઞાન ઉપવું; તમસ્વામી ઉદાસ થયા કે મને કેવળ જ્ઞાન ક્યારે થશે? ત્યારે શ્રી ભગવંતે દ્રમપત્રિકાધ્યયને તથા શ્રી ભગવતી સુત્રમાં વિનંતિજના ઈત્યાદિ પાઠત કહીને ગતમને સ્વસ્થ કર્યા. આ અધિકાર આવશ્યક, ઉત્તરાધ્યયન નિયુક્તિ, તથા ભગવતીપત્તિમાં કહ્યું છે, પરંતુ ભાગ્યહીન જેઠાને કેમ દેખાય, કાગડાનો સ્વભાવ જ છે કે દ્રાક્ષને છોડીને ગંદકીમાં ચાંચ દેવી. પછી જેઠો નિજવ લખે છે કે “ભગવત પંચમહાવત અને પચવીશ ભાવનારૂપ ધર્મ શ્રેણુક, કોણુંક, શાળિભદ્ર પ્રમુખની આ ગળ કહ્યો છે, પરંતુ જીનમંદીર બનાવવાનો ઉપદેશ દીધો નથી” આ લખવું મહા મુર્ખતાઈનું છે કેમકે શું ભગવંતને એમની પાસે મંદીર બનાવવાને ઉપદેશ દેવાનું જરૂરી કામ હતું? તે પણ તેઓ એ બનાવેલા જીનમંદીરોને અધિકાર સુત્રોમાં ઘણી જગ્યાએ છે તે નીચે પ્રમાણે, ૧ થી આવશ્યક સુત્ર તથા યોગશાસ્ત્રમાં શ્રેણીકરાજના કરાવેલા જનમંદીરનો અધિકાર ચાલે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy