________________
સમકિત સલ્યો દ્વાર. કરી તેને ઉત્તર ખુલે છે કે વન મધ્યે પોતાને માન્ય જે દેવ હશે તિની તિણે પુજા કરી છે.
૯ માં પ્રશ્નમાં લખ્યું છે કે કેશી ગણધરે પરદેશી રાજાને નાહી બલી કર્મ કરી દેવ પુજા કરવા જાય એવી રીતે કહ્યું તો ત્યાં પહેલાં કોની પુજા કરી છે તેને ઉત્તર–પ્રથમ પોતાના ઘરમાં (જેમ ઘણું વિશ્વ હાલ પણુ દેવ સેવા રાખે છે તેમ) રાખેલા દેવની પુજા કરીને પછી બહાર નીકળીને મોટા દેવસ્થાનમાં પુજા કરવાનું કહ્યું છે.
૧૦-૧૧ માં પ્રશ્નમાં કોણીક રાજા અને ભરત ચક્રવતિના અધિકારમાં કય બલી કમ્મા શબ્દ નથી તે તેણે દેવ પુજા કેમ ન કરી એમ લખ્યું છે.” તેને ઉત્તર–રે મુખ! એટલું સમજે કે વંદન કરવા જવાની અત્યંત ઉત્સુકતાને લીધે તેણે દેવ પુજા નહીં કરી હોય તો તેમાં આશ્ચર્ય શું છે?
આ પ્રમાણે દરેક પ્રશ્નમાં જ કય બલી કમ્મા ” શબ્દનો અર્થ દેવપુજા એમ સિદ્ધ થાય છે. વળી નવા દ્રષ્ટાંત લખીને જ અર્થ સિદ્ધ કરીએ છીએ.
૧ શ્રી રાયપશેણી સુત્રમાં સુર્યભને અધિકાર સુર્ય દેવતા પુજા કરીને પાછો વળ્યો ત્યારે વધેલો પુજાને સામાન તિણે બળી પીઠ ઉપર મુક્યો એમ સુત્ર પાઠ છે, તે જગ્યાએ પણ બળી પીઠ એટલે પુજાપહારની પીડીકા એમ અર્થ થાય છે.
૨ યતિ પ્રતિક્રમણ સુત્રમાં મંડપવા અને વસ્ત્રાપાડે મા એવા પાઠ લખ્યા છે તેમાંના પહેલા પાને અર્થ–ભખારીઓને વાતે ઢાંકણીમાં રાખેલું અન્ન સાધુઓએ ન વહોરવું, અને બીજા પાઠ અર્થ–દેવ આગળ નિવેદ ધરેલું અથવા તિ નિમિતિ કાઢેલું આ સાધુઓએ ન વહોરવું એમ થાય છે.
૩ નામ માળા ગ્રંથમાં કહ્યું છે કે, જૂના સપર્યા . ઉપર વાસમ. એમ બળી શબ્દનો અર્થ પૂજા થાય છે.
૪ નિશીથ તથા આવશ્યક નિકિત્તમાં પણ બલી શબ્દ દેવ આગળ ધરવાનું નિવેદ કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org