SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જનપ્રતિમા પૂજ્યાના ફળ સૂત્રોમાં કહ્યા છે તે વિષે. ૧૫ કર ભગવંતની જ પૂજા છે. એ પ્રમાણે જનપ્રતિમાની ભક્તિ કર' વાથી ફલ પ્રાપ્તિના દ્રષ્ટાંત સૂત્રમાં ઘણું છે તેમાંથી કેટલાંએક આ ઠેકાણે લખ્યાં છે. ૧ શ્રી જીનપ્રતિમાની ભક્તિથી શ્રી શાંતિનાથજીના જીવે તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. આ કથન પ્રથમાનુયોગમાં છે. ૨ શ્રી જીનપ્રતિમાની પૂજા કરવાથી સમ્યક્ત શુદ્ધ થાય છે. આ કથન શ્રી આચારાંગની નિક્તિમાં છે. ૩ થરૂ થયાઝ અર્થાત–સ્થાપનાની સ્તુતિ કરવાથી જીવ સુલભબોધી થાય છે. આ કથન શ્રી ઉત્તરાધ્યયનમાં છે. ૪ જનભક્તિ કરવાથી જીવ તીર્થંકર બાંધે છે. આ કથન શ્રી જ્ઞાતાસૂત્રમાં છે. જનપ્રતિમાની જે પૂજા છે તે તીર્થકરની જ છે અને તેથી વીશસ્થાનક માંહેનું પહેલું સ્થાનક આરાધાય છે. ૫ તીર્થંકરનું નામ ગોત્ર સણવાનું મહાફલછે એમ શ્રી ભગવતિસત્રમાં કહ્યું છે અને પ્રતિમામાંતો નામ અને સ્થાપના અને છે તે તેના દર્શનથી અને પૂજાથી અત્યંત ફલ છે. ૬ છનપ્રતિમાની પૂજાથી સંસારને ક્ષય થઈ જાય છે એમ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે. ૭ સર્વલોકમાં જેટલી અરિહંતની પ્રતિમા છે તેને કાઉસગ બોધબીજના લાભાર્થે સાધુ તથા શ્રાવક કરે એમ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે. ૮ જનપ્રતિમાને પૂજવાથી મોક્ષફલની પ્રાપ્તિ થાય છે એમ શ્રી રાયપશેણી સત્રમાં કહ્યું છે. ૯ જનમંદિર બનાવવાવાળા બારમાદેવલોક સુધી જાય એમ શ્રી મહાનિસીથમૂત્રમાં કહ્યું છે. - ૧૦ શ્રેણીકરાજાએ જનપ્રતિમાના ધ્યાનથી તીર્થકરગોત્ર બાંધ્યું છે; આ કથન શ્રી યોગશાસ્ત્રમાં છે. ૧૧ શ્રી ગુણવર મહારાજાના સત્તર પ્ર સત્તરભેદમાંથી એક એક પ્રકારે જનપૂજા કરી છે અને તેથી તેજભવમાં મોક્ષે ગયા છે. આ અધિકાર શ્રી સત્તરભેદી પાના ચરિત્રમાં છે અને સત્તરભદી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy