________________
૨૯૮
શંકા-સમાધાન
સમાધાન– તેનું પરિણામ આત્માનું અહિત અને સંસારની વૃદ્ધિ સિવાય બીજું શું હોઈ શકે? આ સંસારમાં આત્માનું અહિત અને સંસારની વૃદ્ધિથી અધિક કોઈ અનિષ્ટ નથી. આત્મહિતની સામગ્રી પામીને પણ આત્માનું અહિત કરનારા જીવો દયાપાત્ર છે.
શંકા- ૬૯૧. માણિભદ્ર વગેરે દેવની અને પદ્માવતી વગેરે દેવીની આરતી ઉતારવી એ યોગ્ય છે ?
સમાધાન- દેવ-દેવીની આરતી ઉતારવી એ યોગ્ય નથી.
શંકા- ૬૯૨. દેવ-દેવીનાં વસ્ત્રો કેવો હોય ? આ અંગેનું શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન આવે છે ? અત્યારે દેવોનાં ચિત્રો ધોતીખેસ પહેરેલાં જોવામાં આવે છે એ બરોબર છે ?
સમાધાન- શાસ્ત્રમાં દેવ-દેવીનાં વસ્ત્રો સ્વચ્છ હોય, અમુક રંગવાળા હોય, કોમળ હોય ઇત્યાદિ વર્ણન આવે છે પણ કેવી ઢબના હોય તે વાંચવામાં આવ્યું નથી. દેવ-દેવીનાં વસ્ત્રો કેવો હોય એ શાસ્ત્રાધારે નિશ્ચિત ન થાય. તો ધોતી-ખેસ પહેરેલાં ચિત્રો બરોબર ગણવા જોઇએ. કારણ કે સામાન્ય રીતે એ જ પહેરવેશ સર્વમાન્ય અને મર્યાદાને અનુરૂપ ગણાતો આવ્યો છે.
શંકા- ૬૯૩. કેટલાક શ્રાવક દેવ-દેવતાઓની મૂર્તિઓને વ્યવસાયરૂપે ત્રાજવામાં તોળી વેચે છે તે વાજબી ગણાય ખરું ? સમાધાન– જરાય વાજબી નથી.
શંકા- ૬૯૪. માણિભદ્ર, પદ્માવતી ઇત્યાદિ સમ્યગ્દષ્ટિ દેવદેવીઓને જિનમંદિરની બહાર જુદી દહેરીમાં પ્રતિષ્ઠિત કર્યા હોય. દહેરાસરજીના અઢાર અભિષેકની ઉછામણીની સાથે એ દેવદેવીઓના વાર્ષિક અભિષેક વગેરેની અલગ ઉછામણી દહેરાસરમાં બોલાવી શકાય ? જો બોલાવી શકાય, તો તે ઘીની રકમ સાધારણ ખાતે લઈ જઈ શકાય કે દેવદ્રવ્યના ખાતામાં લઈ જવી જોઇએ ?
સમાધાન- જિનમંદિરમાં ત્રણ નિરીતિનું પાલન કરવાનું હોય છે. તેમાં રંગમંડપમાં પ્રવેશતાં બીજી વાર નિસાહિ કહેવાનો વિધિ છે. એનો અર્થ એ છે કે હવે હું પરમાત્માની ભક્તિ સિવાય કોઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org