________________
૨૯૬
શંકા-સમાધાન સર્વ ભગવાનની પૂજા થઈ ગયા પછી (જો ગુરુની મૂર્તિ હોય તો ગુરુમૂર્તિની પૂજા થઇ ગયા પછી) યક્ષ-યક્ષિણી અને પ્રાસાદદેવીને જમણા હાથના અંગુઠાથી મસ્તકે તિલક કરવા વડે પૂજા કરવી જોઈએ. જેમ રાજાને જમવા માટે આમંત્રણ આપ્યું હોય તો તેનો બોડીગાર્ડ વગેરે પણ સાથે હોવાથી તેમને પણ જમાડવા જોઇએ. તેમને ન જમાડવામાં આવે તો શું થાય તે સમજી શકાય તેમ છે. તેવી રીતે યક્ષ-યક્ષિણી વગેરેની પણ પૂજા કરવી જોઇએ. તેમની પૂજા ન કરવાથી અવજ્ઞા કરી ગણાય અને તે દોષરૂપ છે. તેમની પૂજા કરવાથી પુણ્ય બંધાય છે અને ઇરાદાપૂર્વક પૂજા ન કરવાથી અવજ્ઞા કરવાના કારણે પાપ બંધાય. (અજ્ઞાનતા આદિના કારણે કોઇ પૂજા ન કરે તે જુદી વાત છે.)
શંકા- ૬૮૮. દેવીને ચુંદડી ચઢાવતા લોકો પોતાના કપાળ પર અડાડીને ચઢાવે છે તે શું ઉચિત છે ?
સમાધાન- દેવીને ચુંદડી ચઢાવતી વખતે પહેલા પોતાના કપાળને અડાડીને ચુંદડી પહેરાવવી એ યોગ્ય નથી.
શંકા- ૬૮૯. પદ્માવતીદેવી, માણિભદ્ર અને ઘંટાકર્ણની ઉપાસના વધી રહી છે તો તેનાથી સમકિત પામીને મોક્ષે જઈ શકાય ?
સમાધાન દેવોના સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એમ બે ભેદ છે. તેમાં મિથ્યાદષ્ટિ દેવોની ઉપાસનાથી સમકિત પ્રાપ્ત તો ન થાય, બલકે પ્રાપ્ત થયેલું સમ્યકત્વ જતું રહે. જો મિથ્યાદષ્ટિ દેવોની ઉપાસનાથી પ્રાપ્ત થયેલું પણ સમ્યક્ત્વ જતું રહે તો તેનાથી મોક્ષે શી રીતે જઈ શકાય ?
સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના આત્મહિત માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે એમ બે રીતે થઈ શકે. તેમાં આત્મહિત માટે સમ્યગ્દષ્ટિદેવોની ઉપાસના કરવામાં આવે તો તેનાથી સમ્યકત્વની પ્રાપ્તિ આદિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસનાથી સમ્યકત્વમાં અતિચાર લાગે, સમ્યકત્વ મલિન બને, અને એમાં જો સાવધ ન રહેવાય તો સમ્યક્ત્વનો નાશ થાય એવું પણ બને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org