________________
શંકા-સમાધાન
૨૯૫
શંકા- ૬૮૫. દેવ થયા પછી એ દેવ નવા શાશ્વત જિનાલયો બનાવી શકે ?
સમાધાન– ન બનાવી શકે, જે અનાદિકાળથી હોય અને કોઇએ બનાવેલ ન હોય, તેવા જ જિનાલયો શાશ્વત કહેવાય. એથી કોઇ દેવે બનાવેલ હોય તે શાશ્વત ન કહેવાય. કોઇ દેવે શાશ્વત નવું જિનાલય બનાવ્યું હોય એવું મારા વાંચવામાં આવ્યું નથી.
શંકા- ૬૮૬. દેવ-દેવીની પૂજા કેટલા અંગે કરવાની હોય ? સમાધાન– દેવ-દેવીની પૂજા ભગવાનની જેમ નવ અંગે ન કરાય, કિંતુ જમણા હાથના અંગુઠાથી માત્ર કપાળે જ તિલક કરવાનું હોય છે. સમ્યગ્દષ્ટિ દેવ-દેવી શ્રાવકના સાધર્મિક ગણાય. એથી જેમ એક સાધર્મિક બીજા સાધર્મિકની ભક્તિ કરવા જમણા હાથના અંગુઠાથી કપાળે તિલક કરે છે, તેમ દેવ-દેવીને તિલક કરાય, નવ અંગે પૂજા
ન કરાય.
શંકા- ૬૮૭. ભગવાનના પરિકરમાં નીચે દેવ-દેવીની તેમજ યક્ષ-યક્ષિણી, પ્રાસાદદેવી વગેરેની મૂર્તિઓ હોય છે. પૂજા કરનારે ફરજિયાત તેમને બહુમાનતિલક કરવું જોઇએ ? ન કરીએ તો દોષ લાગે ? અથવા લાભ થાય ? પુણ્ય બંધાય ? પાપ લાગે કે દોષ ઓછો લાગે ?
સમાધાન– જિનમંદિરમાં જે મૂળનાયક ભગવાન હોય તેના યક્ષયક્ષિણી અને પ્રાસાદદેવી આ ત્રણ સિવાય બીજા કોઇ દેવ-દેવીની સ્થાપના ન કરવી જોઇએ. તે તે ભગવાનના શાસનના સમયે શાસનની રક્ષા કરનાર દેવ-દેવીને યક્ષ-યક્ષિણી કહેવામાં આવે છે. દરેક ભગવાનના એક-એક યક્ષ-યક્ષિણી હોય. આથી કુલ ૨૪ યક્ષો અને ૨૪ યક્ષિણીઓ છે. ‘સંતિકર' સૂત્રમાં “જખા ગોમુહ” ઇત્યાદિથી યક્ષોનાં નામો અને “દેવીઓ ચક્કેસરી' ઇત્યાદિથી યક્ષિણીઓનાં નામો જણાવ્યાં છે. પ્રાસાદદેવી એ જિનપ્રાસાદનું રક્ષણ કરનારી દેવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org