________________
શંકા-સમાધાન
૨૯૩ આદીશ્વર ભગવાન બિરાજમાન છે. મસ્તકે દિવ્યરત્નોથી વિભૂષિત મુગટ હોય છે. પગમાં નુપૂર (ઝાંઝર) છે અને હાથમાં રત્નજડિત સુવર્ણના કડા છે. સાત સફેદ સૂંઢવાળો ઐરાવણ હાથી તેમનું વાહન છે. હાથીની પહેલી સૂંઢમાં અભિષેક કરતો પૂર્ણ કળશ છે. બીજી સૂઢોમાં લાલ કમળો હોય છે. હાથી રત્નજડિત સુવર્ણાલંકારોથી વિભૂષિત હોય છે. તેમના હાથ જ હોય છે. જમણા હાથમાં ગદા વગેરે હોય છે અને ડાબા હાથમાં ત્રિશૂલ વગેરે શસ્ત્ર હોય છે.
શંકા- ૬૮૦. માણિભદ્રની પૂજા કેવી રીતે કરવી ?
સમાધાન– અંગુઠાથી મસ્તકે કેસરનું તિલક કરવાની વિધિ છે. બીજા કોઈ અંગે પૂજા ન કરાય તથા તેમને ખમાસમણું ન અપાય. બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરાય. પણ એટલું સમજી લેવાની જરૂર છે કે માણિભદ્ર દેવ છે, દેવાધિદેવ નથી. એથી તેમની ભક્તિ પણ દેવ સમજીને કરવી જોઇએ. દેવાધિદેવને ગૌણ કરીને દેવની ભક્તિ કરવામાં દેવાધિદેવની આશાતના થાય. જેઓ જિનપૂજા ન કરે, ગુરુભક્તિની ભાવના ન હોય, તેવાઓ દેવની સામે કલાકો સુધી દોઢ પગે ઊભા રહે તો પણ સમ્યગ્દષ્ટિ દેવો તેમના ઉપર પ્રસન્ન ન થાય. વળી દેવની ભક્તિ પણ ભૌતિક સુખ મેળવવા માટે નહિ, કિંતુ સમાધિ રહે એ માટે કરવી જોઇએ. મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય એ માટે કરવી જોઈએ.
શંકા- ૬૮૧. માણિભદ્રજી આદિનાં સ્થાનો દેવદ્રવ્યમાંથી બંધાયેલા હોય તો એમના નિમિત્તે બોલાયેલ ચઢાવા દેવદ્રવ્યમાં જાય એ બરોબર છે પણ બોલાયેલ ચઢાવામાંથી ગોખલાનો અને જમીન આદિનો ખર્ચ દેવદ્રવ્યમાં ભરપાઈ થઈ ગયો હોય તો ચઢાવાનું દ્રવ્ય સાધારણ ખાતામાં વાપરવામાં શો વાંધો ?
સમાધાન– બોલાયેલ ચઢાવાની રકમ દેવદ્રવ્યની હતી. એથી એ ચઢાવામાંથી ગોખલા આદિનો ખર્ચ દેવદ્રવ્યમાં ભરપાઈ કરવામાં દેવદ્રવ્યમાંથી દેવદ્રવ્યમાં ગયું ગણાય. સાધારણની રકમ દેવદ્રવ્યમાં ભરપાઈ કરવામાં આવે તો જ દેવદ્રવ્યમાં ભરપાઈ કર્યું ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org