________________
૨૯૨
શંકા-સમાધાન શંકા- ૬૭૮. દેરાસરમાં રાત્રિએ ભાવના-ગીત-ગાનાદિ કરવામાં આવે, તો દેવદ્રવ્યની ઉપજ થાય છે. નહિતર થતી નથી તો તે કરવું કે નહિ.
સમાધાન– શાસ્ત્રવિધિ મુજબ તો મૂળવિધિએ દેરાસરમાં ગીતગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (એનપ્રશ્ન ૪-૯૨૩).
દેવ-દેવી સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૭૯. માણિભદ્ર દેવ સમ્યગ્દષ્ટિ દેવ છે કે મિથ્યાદષ્ટિ છે? તેમની સ્થાપના જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે જોવા મળે છે તેનું શું કારણ ?
સમાધાન- માણિભદ્ર દેવ સમ્યગ્દષ્ટિ છે. દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર પ્રકાર છે. તેમાં માણિભદ્ર વ્યંતરનિકાયના યક્ષજાતિના દેવોના ઈન્દ્ર છે. આનાથી એ નિશ્ચિત થાય છે કે માણિભદ્ર દેવ કોઈ સામાન્ય દેવ નથી, કિંતુ મહાન દેવ છે. તપગચ્છના અધિષ્ઠાયક છે. પૂર્વે તેમની સ્થાપના માત્ર ઉપાશ્રયમાં થતી હતી. હવે મંદિરોના પરિસરમાં પણ તેમની સ્થાપના થાય છે. ભક્તો પોતાની ભાવના પ્રમાણે જુદી જુદી રીતે પૂજે છે. ક્યાંક માણિભદ્રની માત્ર પિડી પૂજાય છે, ક્યાંક તેમનું ધડ પૂજાય છે, ક્યાંક તેમનું મસ્તક પૂજાય છે, તો ક્યાંક સંપૂર્ણ શરીરની સ્થાપના હોય છે. તેમના શરીર વગેરેનું સ્વરૂપ નીચે મુજબ છે.
શરીરનો વર્ણ શ્યામ છે. હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ અને જીભ રક્ત છે. તેમના મુખનો આકાર વરાહના મુખ જેવો છે. ઘણાને પ્રશ્ન થાય છે કે દેવ અને આવું મુખ કેમ ? આના જવાબમાં જણાવવાનું કે કેટલાક દેવોના મુખની આકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. તેમાં માણિભદ્ર દેવના મુખની આકૃતિ વરાહ જેવી છે. તેમની દાઢી ઉપર રાયણવૃક્ષની શાખાવાળું જિનાલય છે. તે જિનાલયમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org