SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૮૯ ન બનાવી શકાય, તો ઉક્ત વસ્તુઓનું વેચાણ કરવાનો પ્રશ્ન જ કેવી રીતે આવે? આજે મોટી તકલીફ એ છે કે, ઘણા સ્થળે ટ્રસ્ટીઓ ધાર્મિક દ્રવ્યની વ્યવસ્થાના જ્ઞાનથી રહિત હોય છે, એટલું જ નહિ, પણ તેમને જાણવાની દરકાર પણ હોતી નથી. એમને માત્ર વહીવટ કરવો છે. સાચા-ખોટાની કોઇ પડી હોતી નથી. કોઈ કોઈ ટ્રસ્ટીઓ તો ઇરાદાપૂર્વક આવું કરતા હોય છે. શંકા- ૬૭૨. કોઇએ પોતાનું ઘર જિનાલયને અર્પણ કર્યું હોય, તે ઘરમાં શ્રાવક ભાડું આપીને રહી શકે ? સમાધાન– જો કે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ વિશિષ્ટ કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું યોગ્ય નથી. કારણ કે દેવદ્રવ્યના ભોગ વગેરેમાં નિઃશૂકતા આવી જાય. (એનપ્રશ્ન ઉ. ૩ પ્રશ્ન ૭૬૫) શંકા- ૬૭૩. આંગીમાં ભગવાન પાછળ હાર્ડ બોર્ડમાં સુંદર ઇન્દ્રઈન્દ્રાણી બનાવીને મૂક્યા હોય, ભગવાનની આગળ આંગી વખતે મૂકવા માટેનું ચિત્રવાળું એ પાટિયું આદિ દેવદ્રવ્યમાંથી બનાવી શકાય? સમાધાન- આ અંગે સંઘમાં જાહેરાત કરવી જોઇએ. જો કોઈને આનો લાભ લેવાની ભાવના થાય, તો તેને લાભ આપવો જોઈએ. ન થાય તો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય. શંકા- ૬૭૪. હમણાં હમણાં દહેરાસરોમાં ચોરીઓ બહુ થાય છે તથા સરકારની તિજોરી પણ ખાલી છે. આથી મોડા વહેલા મંદિરના દ્રવ્ય ઉપર સરકારની નજર બગડવાની છે. તો સાવચેતી રૂપે જ્યાં જ્યાં દેવદ્રવ્યનો વધારો હોય ત્યાં ત્યાંથી યોગ્ય સ્થળે વાપરી નાખવું જરૂરી ગણાય કે નહિ ? સમાધાન- તમારી વાત સાચી છે. આ માટે ગીતાર્થ સાધુઓ ઉપદેશ પણ આપે છે. આથી ઘણા સ્થાનોમાં દેવદ્રવ્યનો સદુપયોગ થઈ જવાથી દેવદ્રવ્યનો વધારો રહેતો નથી. સરકારની નજર ન બગડે, તો પણ જ્યાં દેવદ્રવ્ય જમા હોય, ત્યાંના ટ્રસ્ટીઓએ યોગ્ય સ્થળે દેવદ્રવ્યનો ઉપયોગ કરી નાખવો જોઇએ. વર્તમાનમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy