________________
૨૮૮
શંકા-સમાધાન
આપવાનો, લેવાનો નિષેધ કર્યો છે. પૂર્વ નાસ્તિ : શાલી=જો મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય ?
જૈનેતરોને દેવાદિના દ્રવ્યનો ઉપભોગ કરવાથી કેવું અશુભ ફળ પ્રાપ્ત થાય, એવું જ્ઞાન ન હોવાથી સૂગનો અભાવ વગેરે દોષોનો સંભવ નથી. આથી જૈનેતરોને દેવાદિના દ્રવ્યમાંથી પગાર વગેરે લેવામાં દોષ ન લાગે. હા, તેઓ જો અનીતિ કરીને વધારે પગાર લે તો તેમને પણ દોષ લાગે તથા જો જૈનેતરને પણ દેહ વ્યાદિ વાપરવાની સૂગ હોય, તો તેને પણ દેવાધિદ્રવ્યમાંથી પગાર ન અપાય. દોષનો આધાર અશુભ પરિણામ છે. દેવાદિદ્રવ્યનો ઉપભોગ કરવામાં મહાન દોષ છે, એમ જાણનારને દેવાદિદ્રવ્યના ઉપભોગમાં જેવા અશુભ પરિણામ થાય છે, તેવા અશુભ પરિણામ તેવા જ્ઞાનથી રહિતને ન થાય, એ સમજી શકાય એવું છે.
શંકા- ૬૭૦. કોઈ શ્રાવક પ્રતિમા ભરાવે. એ પ્રતિમાના નિર્માણનો ખર્ચ ૨૫ હજાર થયો હોય. પ્રતિમા ભરાવવાનો નકરો ૫૦ હજાર રાખ્યો હોય. પ્રતિમા ભરાવનારે ૫૦ હજાર આપ્યા. બચેલા ૨૫ હજાર રૂપિયા શામાં વપરાય ?
સમાધાન- જિનમૂર્તિનાં આભૂષણો કે જિનપૂજા વગેરે મૂર્તિના કાર્યમાં ઉપયોગ કરી શકાય. કોઈ સ્થળે સાત ક્ષેત્રના ક્રમમાં પહેલું જિનમંદિર આવે છે. આથી નીચેના ક્ષેત્રની રકમ ઉપરના ક્ષેત્રમાં લઇ જવાય એ નિયમના આધારે આ રકમ જિનમંદિર નિર્માણમાં પણ વાપરી શકાય.
શંકા- ૬૭૧. દેવદ્રવ્યની રકમમાંથી જે પેઢી બનાવી હોય, તે પેઢીમાં દહેરાસરને લગતી સામગ્રી અગરબત્તી, કેસર વગેરે તથા સાધુ-સાધ્વીજીના બધા ઉપકરણો, શ્રાવકના ચરવળા વગેરે ઉપકરણો વેચાતા હોય તથા ગામમાંથી ઘર માટે તથા કંદોઇ વગેરે લેવા આવે તો આવી વસ્તુઓનું આ પેઢીમાંથી વેચાણ કરી શકાય ?
સમાધાન ન કરી શકાય. સૌથી પહેલી વાત તો એ છે કે દેવદ્રવ્યમાંથી પેઢી જ ન બનાવી શકાય. જો દેવદ્રવ્યમાંથી પેઢી જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org