SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શંકા-સમાધાન શંકા-૬૬૫. અસમર્થસંઘમાં ઈન્દ્રધજા દેવદ્રવ્યમાંથી બનાવી શકાય? સમાધાન– પહેલાં વ્યાખ્યાન દરમિયાન અને બોર્ડ ઉપર જાહેર કરવું જોઇએ કે ઈન્દ્રધજાનો જેને લાભ લેવો હોય તે લાભ લઈ શકે છે. આમ છતાં કોઈ લાભ લેનાર તૈયાર ન થાય તો ટીપ કરીને શક્ય બને તો તેમ કરવું. તેમ પણ ન બને તો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય. ભંડાર વગેરે મંદિરની બીજી વસ્તુઓ માટે પણ આ પદ્ધતિ અપનાવવી જોઇએ. શંકા- ૬૬૬. સામાન્યથી ઘણા ઠેકાણે દેવદ્રવ્યની રકમ જિનભક્તિ સાધારણમાં (કેસર સુખડ પૂજારી વગેરેના પગારમાં) વપરાતી હોય છે તે યોગ્ય છે ? સમાધાન- ભગવાનની પહેલી પૂજા વગેરેના ચડાવાથી પેદા થયેલું દેવદ્રવ્ય જિનભક્તિ સાધારણમાં (કેસર, સુખડ પૂજારી વગેરેના પગારમાં) ન વપરાય. તે જીર્ણોદ્ધાર આદિમાં જ વપરાય. પણ કોઇએ જિનભક્તિ માટે જ દ્રવ્ય આપેલું હોય તો તે દ્રવ્યને જિનભક્તિ સાધારણમાં વાપરી શકાય. કેસર, સુખડ આદિની પૂજા માટેના જે વાર્ષિક ચડાવા બોલાયા હોય, તેની રકમ જિનભક્તિ સાધારણમાં વાપરી શકાય તથા આ ચડાવાની રકમમાંથી પૂજારીને પણ પગાર આપવામાં આવશે, એવો ખુલાસો થયો હોય, તો તે રકમમાંથી પૂજારીને પગાર પણ આપી શકાય. શંકા- ૬૬૭. જૈન વેપારી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યની તે તે વસ્તુ વેચાતી લઇને વેચી શકે ? સમાધાન– જૈન વેપારી નફો લીધા વિના વેચી શકે, નફો લઈને ન વેચી શકે. કેમ કે નફો લે તો તેણે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યમાંથી કમાણી કરી. આનો અર્થ એ થયો કે કમાવા માટે તેણે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કર્યો. શ્રાવકથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને વેયાવચ્ચ દ્રવ્યનો પોતાના માટે ઉપયોગ ન કરી શકાય. કરે તો મોટો દોષ લાગે. શ્રાવકે પહેલા નંબરમાં દેરાસર સંબંધી, જ્ઞાન સંબંધી કે વેયાવચ્ચ સંબંધી કોઈ વસ્તુનો વેપાર ન કરવો જોઇએ અને ટ્રસ્ટીઓએ પણ આવી વસ્તુઓ જૈન વેપારી પાસેથી ન ખરીદવી જોઈએ. જેથી ઉક્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy