SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૮૫ (=કોઇક શ્રાવકે) જિનભક્તિ માટે જે દ્રવ્ય આચરેલ(=આપ્યું) હોય, તે દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાય છે અને તે જિનભક્તિના સર્વકાર્યમાં ઉપયોગી છે. પૂ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પંન્યાસ શ્રી કલ્યાણ વિજયજી મહારાજે આ ગાથાનો અર્થ જણાવતા લખ્યું છે કે, શ્રીમંત અને માન્ય (રાજા, મંત્રી વગેરે) શ્રાવકોએ અથવા પોતે ચૈત્ય કરાવનારે જિનભક્તિને માટે કલ્પીને જે દ્રવ્યસંચિત કર્યું હોય તે (કલ્પિત કહેવાય છે અને તે) ચૈત્ય સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે છે. આનાથી સ્પષ્ટ સમજી શકાય છે કે, પ્રભુભક્તિ આદિની બોલીનું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય ન ગણાય. કલ્પિત દ્રવ્યમાં દ્રવ્ય આપવાનું ધ્યેય આ દ્રવ્ય પ્રભુની ભક્તિમાં વપરાય એવું હોય છે. બોલીથી અપાતા દ્રવ્યમાં હું પહેલી પૂજા કરું, હું પહેલી માળ પહેરું ઇત્યાદિ ધ્યેય હોય છે. આમ કલ્પિત દ્રવ્યમાં અને બોલીના દ્રવ્યમાં દ્રવ્ય આપવાનું ધ્યેય અલગ અલગ હોય છે. આવી બોલીનું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય ન ગણાય. જે વખતે સંબોધ પ્રકરણની રચના થઈ, ત્યારે વર્તમાનની જેમ બોલીઓ હતી જ નહીં, તો પછી બોલીનું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કેવી રીતે ગણાય ? આનાથી એ પણ સમજી શકાય છે કે શ્રાવકો પૂર્વે જે રીતે પ્રભુભક્તિ માટે પોતાનું દ્રવ્ય અર્પણ કરતા હતા, તેવી રીતે આજે પણ શ્રાવકો પ્રભુભક્તિ માટે પોતાનું દ્રવ્ય અર્પણ કરે, તો બોલીનું દ્રવ્ય પ્રભુભક્તિમાં વાપરવાની જરૂર જ ન રહે. આજે બેસતું વર્ષ આદિના સમયે જે કેસર પૂજા આદિના લાભ લેવા માટેના જે વાર્ષિક ચઢાવાઓ બોલાવાય છે, તે પ્રભુ ભક્તિ માટે દ્રવ્ય અર્પણ કર્યું ગણાય, તેથી તે દ્રવ્ય કલ્પિત દ્રવ્યમાં ગણાય. શંકા- ૬૬૪. જે ધર્મશાળામાં વ્યાજથી પણ દેવદ્રવ્યનો ઉપયોગ થતો હોય તે ધર્મશાળામાં ઉતરનાર ચતુર્વિધ સંઘને દોષ લાગે કે નહિ? સમાધાન– જ્યાં સુધી ધર્મશાળા સંપૂર્ણ સાધારણ રકમની ન થાય ત્યાં સુધી દોષ લાગે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy