________________
૨૮૪
શંકા-સમાધાન સ્થાનનો ઉપયોગ ન કરવો અથવા પોતે ઉપયોગ કર્યો તે બદલ યોગ્ય વ્યાજ દેવદ્રવ્યમાં આપી દેવું જોઇએ.
શંકા- ૬૬૧. ઉપાશ્રય અને મંદિર ભેગા (નીચે ઉપાશ્રય અને ઉપર મંદિર) બંધાતાં હોય ત્યારે દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના ખર્ચનો હિસાબ કેવી રીતે કરવો ?
સમાધાન- ઉપાશ્રય અને મંદિર ભેગા બંધાતાં હોય ત્યારે શક્ય હોય તો સંપૂર્ણ ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કરવો જોઇએ, અર્થાત્ દેરાસરના બાંધકામમાં પણ દેવદ્રવ્ય ન વાપરતાં સાધારણ દ્રવ્ય વાપરવું જોઇએ. તેમ શક્ય ન જ બને તો સંપૂર્ણ જમીન તો સાધારણ દ્રવ્યની જ હોવી જોઇએ. બાંધકામમાં ઉપાશ્રયનું ધાબું કે જે મંદિરનું રંગમંડપનું તળિયું છે તે પણ સાધારણ દ્રવ્યનું હોવું જોઇએ. દીવાલોમાં પણ ઉપાશ્રય સુધીની દીવાલનો ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કાઢવો જોઇએ. આ સિવાય પણ મંદિર સિવાયનું ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કાઢવું જોઇએ. ટૂંકમાં મંદિર સિવાયનું જે કંઈ હોય તે બધાનો ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી કાઢવો જોઇએ.
શંકા-૬૬૨. ઘણે સ્થળે નવું મંદિર બન્યા બાદ પ્રતિષ્ઠા પછી સર્વપ્રથમ ભંડાર ભરવાની શરૂઆત કરવાની બોલી બોલાતી હોય છે. આ બોલી માત્ર ભંડાર ભરવાની શરૂઆત કોણ કરે એની જ હોય છે. તો બોલીની રકમ સાધારણ ખાતે લઈ જવાય કે જિનમંદિર સાધારણ ખાતે લઈ જવાય? કે દેવદ્રવ્યની જ ગણાય એવું ખરું?
સમાધાન– ભંડાર ભગવાનનો હોવાથી આ રકમ સર્વ સાધારણ ખાતે તો ન જ લઈ જવાય. પણ દેવદ્રવ્યમાં જાય.
શંકા- ૬૬૩. પ્રભુની પહેલી પૂજા કરવા આદિની બોલીથી આવેલું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય ગણાય ?
સમાધાન- ના. સંબોધ પ્રકરણ ગ્રંથમાં દિવ-અધિકાર ગા. ૧૬૯માં) કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા નીચે મુજબ જણાવી છે. ઋદ્ધિયુક્ત એવા સમ્મત (સંઘ માન્ય) શ્રાવકોએ અથવા સ્વયં પોતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org