SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૮૩ છે. આ ભવમાં પણ પોતાના યશસમૂહથી ત્રણે ય ભુવનને ભરી દેતો પુણ્યાનુબંધી સંપત્તિનો સ્વામી, પવિત્ર ભોગસામગ્રીવાળો અને ઉત્તમ પરિવારવાળો બને છે...” આ પ્રમાણે સાધારણ દ્રવ્યનું પણ મહત્ત્વ હોવાથી સંઘના આગેવાનોએ તે તે ઉપાયોથી સાધારણ દ્રવ્યને વધારવાનો યોગ્ય પ્રયત્ન કરવો જોઇએ. સંઘના આગેવાનોએ સાધારણ દ્રવ્યનો જરા પણ દુરુપયોગ ન થાય તેની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. કેમ કે સો રૂપિયાથી થઈ શકતા કામમાં બેદરકારીથી સવા સો રૂપિયા ખર્ચી નાખે તો તે સાધારણનો દુરુપયોગ થયો ગણાય. દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારવાનો ઉપદેશ આપવો યોગ્ય જણાતો નથી. સાધારણની આવક ઓછી હોય તો સાધારણની આવક વધારીને પૂજારીનો પગાર વધારી શકાય એવો ઉપદેશ આપવો જોઇએ. શંકા- ૬૬૦. ઉપાશ્રય માટે દેવદ્રવ્યમાંથી લોન લેવામાં આવે ત્યારે તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ કે હવાલો નાખે તો ચાલે? સમાધાન– (૧) સર્વપ્રથમ તો હકીકત એ છે કે ઉપાશ્રય માટે દેવદ્રવ્યમાંથી લોન લઈ શકાય નહિ. (૨) કદાચ તેવા અનિવાર્ય સંયોગોમાં દેવદ્રવ્યમાંથી ઉપાશ્રય માટે લોન લીધી હોય તો જેમ બને તેમ જલદી એ લોન પાછી આપી દેવી જોઇએ. (૩) એ લોન જ્યાં સુધી પાછી ન અપાય ત્યાં સુધી તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ, માત્ર હવાલો નાખવાથી જ ન ચાલે. વ્યાજ પણ વ્યવહારમાં અપાતા વ્યાજ પ્રમાણે કે તેનાથી થોડું વધારે આપવું જોઇએ. (૪) જો વ્યાજ ચૂકવાય નહિ તો એ સ્થાનનો ચતુર્વિધ સંઘથી ઉપયોગ ન કરી શકાય. લોનનું વ્યાજ ચૂકવાયું નથી એની ખબર પડવા છતાં તે સ્થાનનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ કરનારને દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે. દેવદ્રવ્યનું ભક્ષણ કરનારને દુર્ગતિના ભયંકર દુઃખો ભોગવવા પડે છે. (૫) આવું કરનાર ટ્રસ્ટીઓને આરાધકોએ “આ ખોટું થાય છે” એમ સમજાવવું જોઇએ. છતાં ટ્રસ્ટીઓ ન માને તો આરાધકોએ એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy